મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત


SHARE







મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત

મોરબી તાલુકામાં મામલતદાર કચેરીમાંથી ૭/૧૨ ના દાખલા નીકળેલ હોય તો જ બેંકો કે અન્ય વહીવટી કામમાં તેને માન્ય રાખવામા આવે છે જેથી કરીને ખેડૂતોને હેરાન થવું પડે છે ત્યારે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષ મંડળના પ્રમુખ દ્વારા ગ્રામ પંચાયતમાંથી તલાટી મંત્રી ૭/૧૨ ના દાખલા કાઢી આપે તેને માન્ય રાખવા માટે જરૂરી આદેશ કરવા કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષ મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ હાલમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી તાલુકા મામલતદાર કચેરી ખાતેથી ખેડૂતોને ૭/૧૨ ના દાખલા કાઢી આપવામાં આવે છે. જે દાખલાની બેંકમાં ધીરાણ કે અન્ય વહીવટી કામગીરીમાં કાયમી માટે જરૂરત રહે છે. મોરબી મામલતદાર કચેરીમાં એક જ કોમ્પ્યુટર છે અને બી.એસ.એન.એલ.ના ટાવરના કારણે સર્વર કાયમી ધીમુ ચાલે છે અને ક્યારેક ઠપ્પ થઈ જાય છે જેથી કરીને ખેડૂતોને હેરાન થવુ પડે છે આટલુ જ નહીં ખેડૂતોને ધીરાણ કે બેંકમાંથી લોન લેવા માટે  મામલતદાર કચેરીમાંથી ૭/૧૨ ના દાખલા આપવામાં આવે તેને જ માન્ય રાખવામા આવે છે તેના બદલે ગ્રામ પંચાયત કે અન્ય સરકારી ઓનલાઈન એપ્લીકેશનમાંથી દાખલા કઢાવેલ હોય તો તેને માન્ય રાખવામા આવતા નથી જેથી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સરકારી અધિકારી છે અને તેની સહી સાથે ૭/૧૨ ના દાખલા નીકળે તો તેને માન્ય રાખવામા વાંધો શું છે તેવો સવાલ ઉઠી રહ્યો છે ત્યારે ખેડૂતોને હેરાન થવું ન પડે તે માટે ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી દ્વારા ૭/૧૨ ના દાખલા કાઢી આપેલા હોય તેને માન્ય રાખવામાં આવે તેના માટે જરૂરી આદેશ કરવામાં આવે તો ખેડતોને મુશ્કેલીમાંથી રાહત મળશે તેની સાથો સાથ મામલતદાર કચેરીમાં કામનું ભારણ પણ ઘટશે. જેથી ખેડૂતોના હિતમાં વહેલી તકે નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News