મોરબીમાં ફાયરિંગ કરીને યુવાનની હત્યાની કોશિશના ગુનામાં બે આરોપીના શરતી જામીન મંજુર મોરબીમાં વીજ તંત્રની લાલીયાવાડીથી જીવલેણ અકસ્માતને ખુલ્લુ આમંત્રણ ! મોરબી નવયુગ કોલેજના NSSના વિધાર્થીએ યુવા આપદા મિત્રની તાલીમ લીધી યે આગ કબ બુઝેગી ?: મોરબી નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 8 દિવસ પણ યથાવત, બળેલો માલ હટાવવા અને કુલિંગનું કામ હજુ પણ ચાલુ મોરબીની રામનગર સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 1.21 લાખની રોકડ સાથે પકડાયા મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત
Breaking news
Morbi Today

યે આગ કબ બુઝેગી ?: મોરબી નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 8 દિવસ પણ યથાવત, બળેલો માલ હટાવવા અને કુલિંગનું કામ હજુ પણ ચાલુ


SHARE







યે આગ કબ બુઝેગી ?: મોરબી નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 8 દિવસ પણ યથાવત, બળેલો માલ હટાવવા અને કુલિંગનું કામ હજુ પણ ચાલુ

મોરબીના રફાળેશ્વર ગામ પાસે મગફળીના ગોડાઉનમાં એક સપ્તાહ પહેલા આગ લાગી હતી જેને કાબૂમાં કરવા માટે તાત્કાલિક ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી જો કે, આ ઘટનાને 8 દિવસ થઈ ગયા છે તો પણ ગોડાઉનમાં લાગેલી આગ હજુ સો ટકા કાબુમાં આવેલ નથી અને જેથી સ્થળ ઉપરથી બળેલી મગફળી હટાવવામાં આવ્યા બાદ કુલિંગ કરવા માટે 2 ફાયર ફાઈટરને સ્થળ ઉપર રાખીને સતત પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે

મોરબીના રફાળેશ્વર ગામ પાસે મેજિક સિરામિકના ગોડાઉનમાં નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલ મગફળીના જથ્થાને મૂકવામાં આવેલ હતો તે મગફળીના જથ્થામાં શનિવારે તા. 4/7/26 ના રોજ બપોરે દોઢ વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી જેની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કરીને મોરબી ઉપરાંત રાજકોટ, જામનગર અને વાંકાનેરથી ફાયર ફાઇટરોને બોલાવવામાં આવ્યા હતા.

જો કે, હજુ પણ આગ સો ટકા કાબૂ આવેલ નથી જેથી આજે શનિવારે સાંજે પણ 3 ફાયર ફાઇટરોને સ્થળ ઉપર રાખીને આગ ઉપર સતત પાણીનો મારો કરીને કુલિંગ કરવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે સાથોસાથ 5 હિટાચી મશીનથી બળી ગયેલ મગફળીને 3 ડમ્પર મારફતે બહાર કાઢવા માટેની પણ કામગીરી ચાલી રહી છે અને હજુ પણ અંદાજે બે દિવસ જેટલો સમય લાગે તેવી શક્યતા ફાયર વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજાએ વ્યક્ત કરી છે.

ઉલેખનીય છે કે, આ ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીની 35 કિલો વજનની એક એવી કુલ મળીને 1,59,581 ગુણી મૂકવામાં આવી હતી જેની કુલ કિંમત 44,46,31,899 રૂપિયા થતી હતી જો કે, ગોડાઉનમાં આગ લાગવાથી કરોડો રૂપિયાની મગફળી બળીને ખાખ થઈ ગયેલ છે આટલું જ નહીં પરંતુ કારખાનાનો શેડ પણ તૂટી ગયો છે હાલમાં આ બનાવની આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એસ.ઘેટીયા અને તેની ટિમ કરી રહી છે.






Latest News