મોરબીમાં ફાયરિંગ કરીને યુવાનની હત્યાની કોશિશના ગુનામાં બે આરોપીના શરતી જામીન મંજુર મોરબીમાં વીજ તંત્રની લાલીયાવાડીથી જીવલેણ અકસ્માતને ખુલ્લુ આમંત્રણ ! મોરબી નવયુગ કોલેજના NSSના વિધાર્થીએ યુવા આપદા મિત્રની તાલીમ લીધી યે આગ કબ બુઝેગી ?: મોરબી નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 8 દિવસ પણ યથાવત, બળેલો માલ હટાવવા અને કુલિંગનું કામ હજુ પણ ચાલુ મોરબીની રામનગર સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 1.21 લાખની રોકડ સાથે પકડાયા મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત


SHARE







મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત

મોરબી તાલુકાના જૂના રફાળેશ્વર ગામે આવેલ તળાવમાંથી એક પુરૂષની લાસ મળી આવી હતી.જેની તપાસ કરવામાં આવતા મૃતક મકનસર ગામના વતની હોવાનું અને તેઓને કેન્સરની બીમારી હોય બીમારીથી કંટાળી જઈને અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.ડી.જોગેલા તથા રાયટર ધર્મેન્દ્રસિંહ ઝાલા પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગત તા.૫-૭ ના રોજ મોરબીના જુના રફાળેશ્વર જવાના રસ્તે જાંબુડીયા નજીક આવેલ તળાવમાંથી આશરે ૫૦ વર્ષના વ્યક્તિની લાશ મળી આવી હતી.જેથી પોલીસને જાણ કરાતા સ્ટાફ ઘટના ગયો હતો.ત્યાં તપાસ કરતા તળાવમાંથી ડેડબોડી બહાર કાઢવામાં આવ્યું હતું અને આસપાસ તપાસ કરવામાં આવતા ત્યાં વૃક્ષની ઉપર થેલીમાં દવાની ફાઇલ અને કાગળ મળી આવેલ હોય જેને આધારે પોલીસે તપાસનો દોર આગળ વધારતા મૃતકનું નામ સોમાભાઈ નરશીભાઈ ગુંદરીયા કોળી (ઉમર ૬૩) રહે.જુના મકનસર તા.મોરબી હોવાનું સામે આવ્યું હતું.મૃતક છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હોય બીમારીથી કંટાળી જઈને તેઓએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું હતું.

ગુમ પરત

મોરબીના લાલપર ગામે વિશાલદીપ સોસાયટી નજીક રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના કાનજીભાઈ ભગવાનજીભાઈ લાડોલા પટેલ નામના ૫૫ વર્ષના આધેડ ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ ગયા હતા.બાદમાં તાલુકા પોલીસ મથકના નંદરામભાઇએ તપાસ કરતા સામે આવ્યું હતું કે ગુમ થયેલા કાનજીભાઈ લાડોલાને કોઈની સાથે પૈસાની લેતીદેતી હોય અને સામેવાળા ધમકાવતા હોવાથી ડરી જઈને ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ચાલ્યા ગયા હતા.જો કે તે હેમખેમ મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉંચી માંડલ ગામ પાસે આવેલ સીરામીક યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા પરિવારના રામકૃષ્ણ તિલકરામ (૨૮), રક્ષાબેન તિલકરામ (૨૦), વિક્રમભાઈ તિલકરામ (૨૦) અને પીન્ટુભાઇ તીલકરામ (૨૪) ને બપોરે બે વાગ્યાના અરસામાં મારામારીમાં ઇજાઓ થયેલ હોય સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના ફારૂકભાઇ સુમરા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી. જ્યારે શહેરના સામાકાંઠે માળિયા ફાટક નજીક આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં મારામારી થઈ હતી.અને તે બનાવમાં ત્યાં રહેતા ધર્મેન્દ્રભાઇ ઉર્ફે અતુલ નટવરભાઈ પંડ્યા નામના ૩૩ વર્ષના યુવાનને ઇજા થયેલ હોય તેને પણ સારવારમાં લઈ જવાયો હતો તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News