મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું


SHARE







માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું

માળીયા મીયાણાથી કાજરડા તરફ જવાના રસ્તા ઉપર ટીખડ કરતાં શખ્સને યુવાને ટોક્યો હતો જે તેને સારું નહીં લાગતા સામે વાળા શખ્સે યુવાનની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપીને લાકડાનો ધોકો યુવાનને માથાના ભાગે માર્યો હતો જેથી માથામાં ગંભીર ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણાના કાજરડા ગામે મસ્જિદ પાસે રહેતા ઇસ્માઈલભાઈ યુનુશભાઈ કાજડીયા (40)એ જલાવદીન હસણભાઇ કાજેડીયા રહે. કાજરડા વાળાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે માળીયાથી કાજરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર અલીયાસભાઈ મોરના ઘર સામે આરોપી ટીખડ કરતો હતો જેથી ફરિયાદીએ તેને ટોક્યો હતો અને તે બાબતનો ખારાખીને આરોપીએ ફરિયાદી સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે યુવાનને માથાના ભાગે માર મારતા ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

અકસ્માતમાં ઇજા

જુના ઘાટીલા ગામના રહેવાસી ગોપાલભાઈ રતિલાલ આગેચાણિયા (25) નામનો યુવાન ટંકારા તાલુકાના ધૂળકોટ ગામ પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અસ્કમતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવારમાં આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મહિલા સારવારમાં

વાંકાનેરના ચંદ્રપુર ખાતે રહેતા કિરણબેન દશરથભાઈ પરમાર (28) નામના મહિલાને ગત તા. 28 ના રોજ બપોરે 12:00 વાગ્યાના અરસામાં ઘરે સસરા પક્ષના લોકોએ કોઈ અજાણી દવા પીવડાવી દેતા તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાંકાનેર ત્યારબાદ તેને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મહિલાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો હોય પોલીસે તેની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે






Latest News