મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત


SHARE





માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત

માળિયા મિયાણા વિસ્તારમાં ધો. ૯ માં પ્રવેશથી વંચિત રહી ગયેલા ૧૯ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને વાલીઓમાં ચિંતા છે ત્યારે માળિયા મિયાણા નગરપાલિકાના પ્રમુખ હારુનભાઈ સંધવાણી દ્વારા મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીને તાત્કાલિક પગલા લેવા માટે રજૂઆત કરી છે અને શિક્ષણ વિભાગે હકારાત્મક અભિગમ દાખવ્યો છે.

માળિયા મિયાણા શહેરમાં આવેલી શ્રી જોશી હાઈસ્કૂલ અને નજીકની શ્રી મોટી બરાર મોડેલ સ્કૂલમાં ધોરણ-૯ ના વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પહેલેથી જ મર્યાદા કરતા વધુ હોવાથી ૧૯ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શક્યો ન હતો. આ પરિસ્થિતિના કારણે આ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ બને અને તેમનું શિક્ષણ છૂટી જાય તેવી ગંભીર સ્થિતિ ઊભી થયેલ છે જેથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને નગરપાલિકા પ્રમુખ હારુનભાઈ સંધવાણીએ વાલીઓ વતી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મોરબી ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં પ્રત્યુતરમાં ડી.ઈ.ઓ. કચેરી તરફથી હકારાત્મક અને ત્વરિત પ્રતિસાદ મળ્યો છે.

જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી ગણીને શ્રી જોશી હાઈસ્કૂલ અથવા શ્રી મોટી બરાર મોડેલ સ્કૂલ ખાતે ધો. ૯ માં વધારાનો વર્ગ મંજૂર કરી આપવા અને વિદ્યાર્થીઓને સત્વરે પ્રવેશ ફાળવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. શિક્ષણ વિભાગના આ હકારાત્મક નિર્ણયથી પ્રવેશથી વંચિત ૧૯ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં વ્યાપેલી ચિંતા દૂર થઈ છે અને મોટી રાહત મળી છે.




Latest News