મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયામાં “તું કરિયાવરમાં કઈ લાવી નથી” કહીને પરિણીતાને મરવા મજબૂર કરનાર સાસુ-દિયર સામે નોંધાયો ગુનો 


SHARE















વાંકાનેરના વઘાસીયામાં “તું કરિયાવરમાં કઈ લાવી નથી” કહીને પરિણીતાને મરવા મજબૂર કરનાર સાસુ-દિયર સામે નોંધાયો ગુનો 

વાંકાનેર નજીક આવેલ વઘાસીયામાં રહેતી પરિણીતાએ થોડા દિવસો પહેલા એસિડ પી લીધું હતું જેથી કરીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જો કેરસ્તામાં પરિણીતાનું મોત નિપજ્યુ હતુ જે બનાવમાં મૃતક પરિણીતાની માતાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ખાતે તેની દીકરીને મરવાર માટે મજબૂર કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે અને તેની દીકરીના સાસુ અને દિયર દ્વારા તેની દીકરીને “તું કરિયાવરમાં કઈ લાવી નથી” તેવું કહીને મારવા માટે મજબૂર કરવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે થોડા સમય પહેલા વાંકાનેરના વઘાસીયામાં રહેતા વાસુદેવસિંહ ઝાલાના પત્ની પ્રિયાબાએ પોતાના ઘરે એસિડ પી લીધું હતું જેથી કરીને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ હતા જો કેરસ્તામાં પરિણીતાનું મોત નિપજ્યુ હતું ત્યારે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે એસિડ પીને આપઘાત કરનારા મહિલાનો લગ્નગાળો પાંચ વર્ષનો છે અને તેને સંતાનમાં ત્રણ બાળક છે આ બનાવમાં મૃતક પરિણીતાની માતાએ તેની દીકરીના સાસુ ઇન્દ્રાબા સબલસિંહ ઝાલા અને દિયર યોગીરાજસિંહ સબલસિંહ ઝાલા સામે તેની દીકરીને “તું કરિયાવરમાં કઈ લાવી નથી” તેવું કહીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ






Latest News