​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના પંચવટી ગામે પંચાયત મંત્રીનું કરાયું સન્માન


SHARE











માળીયા(મી)ના પંચવટી ગામે પંચાયત મંત્રીનું કરાયું સન્માન

૨૦૦૧મા ભૂકંપ પછી ખીરઈમાંથી અલગ થઇ નવા બનેલા પંચવટી ગામને પોતાની એક અલગ ગ્રામ પંચાયત મળે અને ગામના વિકાસકાર્યને વેગ મળે તેવી ગ્રામજનોની લાંબા સમયની માંગને ધ્યાનમાં લઈ પંચવટી ગામલોકોની લાગણી અને માંગણીને માન આપી મંત્રી બ્રીજેશભાઇ મેરજા ગામના આગેવાનો સાથે મળી આ કઠીન કામ બહુ ટુકા ગાળામાં અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપી લોકહિત અને ગામના વિકાસ માટે આપેલ વચન પૂર્ણ કરતાં ગ્રામજનો દ્વારા પંચવટી ગામના સૌ ગ્રામજનોએ મંત્રી બ્રિજેશભાઇનુ ઢોલનગારા અને સામૈયા સાથે ખુબજ ઉમકાભેર સ્વાગત કરેલ અને તેમનો જાહેરમા આભાર વ્યક્ત કરવા સત્કાર સમારંભનુ આયોજન કરેલ. 

આ પ્રસંગે બ્રિજેશભાઈ મેરજા દ્વારા લોકોના પ્રશ્નો માટે સતત જાગૃત રહી અને લોકહિતના કાર્ય કરતા રહેવાની ખાતરી આપી અને ગ્રામવિકાસના કાર્યોને લઇને ગામલોકોના કોઇપણ પ્રશ્નોમાટે તેમની કચેરીના દ્વાર હંમેશા ખુલા હતા અને રહેશે તેમ જણાવેલ. આ કાર્યક્રમમાં માળિયા તા.પં.ના પ્રમુખ રમેશભાઈ રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવા, સુભાષભાઈ પડસુંબિયા, જયોતિસિંહ જાડેજા સહિત આગેવાનો હાજર રહેલ. નવી ગ્રામ પંચાયત માટે જહેમત ઉઠાવનાર નિલેશભાઈ સંઘાણી અને હર્ષદભાઈ કાચરોલાનું પણ ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા કમલેશભાઈ દલસાણીયા અને યુવા ટીમ દ્વારા જહેમત ઉઠાવેલ. કાર્યક્રમને અંતે શૈલેષભાઈ સાણજાએ આભાર વ્યક્ત કરેલ.

 






Latest News