ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના પંચવટી ગામે પંચાયત મંત્રીનું કરાયું સન્માન


SHARE











માળીયા(મી)ના પંચવટી ગામે પંચાયત મંત્રીનું કરાયું સન્માન

૨૦૦૧મા ભૂકંપ પછી ખીરઈમાંથી અલગ થઇ નવા બનેલા પંચવટી ગામને પોતાની એક અલગ ગ્રામ પંચાયત મળે અને ગામના વિકાસકાર્યને વેગ મળે તેવી ગ્રામજનોની લાંબા સમયની માંગને ધ્યાનમાં લઈ પંચવટી ગામલોકોની લાગણી અને માંગણીને માન આપી મંત્રી બ્રીજેશભાઇ મેરજા ગામના આગેવાનો સાથે મળી આ કઠીન કામ બહુ ટુકા ગાળામાં અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપી લોકહિત અને ગામના વિકાસ માટે આપેલ વચન પૂર્ણ કરતાં ગ્રામજનો દ્વારા પંચવટી ગામના સૌ ગ્રામજનોએ મંત્રી બ્રિજેશભાઇનુ ઢોલનગારા અને સામૈયા સાથે ખુબજ ઉમકાભેર સ્વાગત કરેલ અને તેમનો જાહેરમા આભાર વ્યક્ત કરવા સત્કાર સમારંભનુ આયોજન કરેલ. 

આ પ્રસંગે બ્રિજેશભાઈ મેરજા દ્વારા લોકોના પ્રશ્નો માટે સતત જાગૃત રહી અને લોકહિતના કાર્ય કરતા રહેવાની ખાતરી આપી અને ગ્રામવિકાસના કાર્યોને લઇને ગામલોકોના કોઇપણ પ્રશ્નોમાટે તેમની કચેરીના દ્વાર હંમેશા ખુલા હતા અને રહેશે તેમ જણાવેલ. આ કાર્યક્રમમાં માળિયા તા.પં.ના પ્રમુખ રમેશભાઈ રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવા, સુભાષભાઈ પડસુંબિયા, જયોતિસિંહ જાડેજા સહિત આગેવાનો હાજર રહેલ. નવી ગ્રામ પંચાયત માટે જહેમત ઉઠાવનાર નિલેશભાઈ સંઘાણી અને હર્ષદભાઈ કાચરોલાનું પણ ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા કમલેશભાઈ દલસાણીયા અને યુવા ટીમ દ્વારા જહેમત ઉઠાવેલ. કાર્યક્રમને અંતે શૈલેષભાઈ સાણજાએ આભાર વ્યક્ત કરેલ.

 






Latest News