ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સરદાર બાગ નજીક રહેતા આધેડે ઝેરી દવા પી લેતા મોત


SHARE











મોરબીમાં સરદાર બાગ નજીક રહેતા આધેડે ઝેરી દવા પી લેતા મોત

મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાછળ આવેલ ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતા પટેલ આધેડે ઝેરી દવા પી લેતાં તેમનું ટુંકી સારવારમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના શનાળા રોડ સરદારબાગ પાછળ આવેલી ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતા વસંતભાઈ નાનજીભાઈ રાજપરા નામના ૫૩ વર્ષીય આધેડે તેઓના ઘેર તા.૩૦ ના અગિયારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લેતાં તેમને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.જયાં ટૂંકી સારવાર દરમિયાન વસંતભાઈ રાજપરાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવના પગલે રાજકોટથી તપાસ અંગેના કાગળો આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ જે.એ.ઝાલાએ બનાવ અંગે નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

દારૂ સાથે પકડાયો

 મોરબીના પીપળીયા ગામે બાલાજી મંદિર સામે રહેતો જગદીશ પ્રેમજી જાદવ નામનો ૨૪ વર્ષીય યુવાન મોરબીના વાવડી રોડ ઉપરથી જતો હતો ત્યાં રસ્તામાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે તેને આંતરીને તેની ઝડતી લેતા તેની પાસેથી એક બોટલ દારૂ મળી આવતા રૂપિયા ૭૫૦ ની કિંમતના દારૂ સાથે જગદીશ જાદવની ધરપકડ કરવામાં આવી હતી.






Latest News