ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં સરદાર બાગ નજીક રહેતા આધેડે ઝેરી દવા પી લેતા મોત


SHARE











મોરબીમાં સરદાર બાગ નજીક રહેતા આધેડે ઝેરી દવા પી લેતા મોત

મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાછળ આવેલ ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતા પટેલ આધેડે ઝેરી દવા પી લેતાં તેમનું ટુંકી સારવારમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના શનાળા રોડ સરદારબાગ પાછળ આવેલી ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતા વસંતભાઈ નાનજીભાઈ રાજપરા નામના ૫૩ વર્ષીય આધેડે તેઓના ઘેર તા.૩૦ ના અગિયારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લેતાં તેમને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.જયાં ટૂંકી સારવાર દરમિયાન વસંતભાઈ રાજપરાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવના પગલે રાજકોટથી તપાસ અંગેના કાગળો આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ જે.એ.ઝાલાએ બનાવ અંગે નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

દારૂ સાથે પકડાયો

 મોરબીના પીપળીયા ગામે બાલાજી મંદિર સામે રહેતો જગદીશ પ્રેમજી જાદવ નામનો ૨૪ વર્ષીય યુવાન મોરબીના વાવડી રોડ ઉપરથી જતો હતો ત્યાં રસ્તામાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે તેને આંતરીને તેની ઝડતી લેતા તેની પાસેથી એક બોટલ દારૂ મળી આવતા રૂપિયા ૭૫૦ ની કિંમતના દારૂ સાથે જગદીશ જાદવની ધરપકડ કરવામાં આવી હતી.






Latest News