મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે આજે વહેલી સવારે પોતાના જ ઘરમાં માતા-દીકરીએ જાત જલાવી: દીકરી ગંભીર


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે આજે વહેલી સવારે પોતાના જ ઘરમાં માતા-દીકરીએ જાત જલાવી: દીકરી ગંભીર

મોરબી નજીક મહેન્દ્રનગર ગામે આજે વહેલી સવારે માતા અને પુત્રીએ પોતાના ઘરની અંદર કેરોસીન છાંટીને વાત જાત જલાવી હતી જેથી બંને ગંભીર રીતે દાઝી ગયા હોવાથી પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ ગયા હતા જોકે, મોરબી સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ વિભાગ ન હોવાથી તેઓને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને આ બનાવમાં દીકરી વધુ દાઝી ગઇ હોવાથી તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ માળીયા તાલુકાના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા ધીરુભાઈ કવૈયા જાતે લુહારના પત્ની રેખાબેન (૪૫) અને દીકરી બંસી (૨૨) એ આજે વહેલી સવારે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને જાત જલાવી લીધી હતી જેથી કરીને બંને ગંભીર રીતે દાઝી ગયા હતા અને સળગતી હાલતમાં ઘરની બહાર નીકળીને બચાવો બચાવોની બૂમો પાડતા આસપાસમાં રહેતા લોકો વહેલી સવારે પાંચ વાગ્યે પોતાના ઘરની બહાર નીકળ્યા હતા ત્યારે રેખાબેન અને બંસીબેન શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા માટે ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી અને ૧૦૮ સ્થળ ઉપર આવતા બંનેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા

જોકે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ વિભાગ ન હોવાથી બંનેને મોરબીથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવમાં લોકો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે બંસીબેન વધુ ગંભીર રીતે દાઝી ગયેલ છે અને તેની માતા રેખાબેન ધીરુભાઈ લુહાર પણ દાઝી ગયા હોય તેની પણ સારવાર રાજકોટ ખાતે ચાલી રહી છે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે ધીરુભાઈ કવૈયા મોરબીના સિરામિક યુનિટમાં મજુરી કામ કરી રહ્યા છે અને તેઓના પત્નીને માનસિક તકલીફ હોય તેઓએ કોઈ કારણોસર આજે વહેલી સવારે પોતાના શરીર ઉપર અને તેની દીકરીના શરીર ઉપર કેરોસીન છાંટીને જાત જલાવી હતી જેથી કરીને બંનેને ગંભીર રીતે દાઝી ગયા છે આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News