ટંકારાના રોહીશાળા ગામે ખેડૂતોના ખેતરોમાંથી કેબલ વાયરોની ચોરી મોરબીમાં સ્વચ્છતા અભિયાન અન્વયે રાજ્યમંત્રી-મેયર સહિતનાઓએ કર્યું શ્રમદાન રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના પ્રગતિ હેઠળના મોડલ રોડની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી ૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના: મોરબીમાં રાજ્યમંત્રીએ રાષ્ટ્રના મહાપુરૂષોને સ્વચ્છતા અંજલિ અર્પણ કરી મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું બહાર પડાયું મોરબી: ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી નજીક બાઈક ચાલકે હડફેટે લેતા રંગપર બેલાના જેન્તીભાઈ કગથરાનું મોત માળિયા મિયાણામાં મિયાણા સમાજનો પ્રથમ શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો : ૨૬ વિદ્યાર્થીઓનું સન્માન, શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ
Breaking news
Morbi Today

મોરબી નજીક બાઈક ચાલકે હડફેટે લેતા રંગપર બેલાના જેન્તીભાઈ કગથરાનું મોત


SHARE











મોરબી નજીક બાઈક ચાલકે હડફેટે લેતા રંગપર બેલાના જેન્તીભાઈ કગથરાનું મોત

 

મોરબીના રંગપર બેલા ગામે રહેતા જેન્તીભાઈ મગનભાઈ કગથરા (ઉંમર ૪૦) ના ગઈકાલે રાત્રે નવ વાગ્યા આસપાસ ચાલીને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે બેદરકારીપૂર્વ બાઈક ચલાવી આવતા ચાલકે જેન્તીભાઈને હડફેટે લઈ રોડ ઉપર પછાડી દીધા હતા.તેમને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.

તત્કાલ મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડાયા હતા.પણ તબિયત વધુ બગડતી જણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા.જ્યાં ટૂંકી સારવારમાં તેમનું મોત નીપજ્યું હતું.રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.પરિવારે જણાવ્યું કે, જેન્તીભાઈ બે ભાઈ અને એક બહેનમાં નાના હતા.તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે.તેઓ કડીયાકામની મજૂરીનું કામ કરતા હતા.ગઈકાલે તેઓ કામ પરથી પરત ઘરે આવતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી શરૂ કરી છે.

 






Latest News