મોરબીના મિલકતધારકોને ઓનલાઈન ટેકસ ભરીને વધુ રીબેટનો લાભ લેવા અધિકારીની અપીલ મોરબી મનપાની ફૂડ શાખાએ રવાપર રોડે ખાણીપીણીના 20 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: આખાદ્ય ચટણી, ફૂડ કલર અને તેલના જથ્થાનો કર્યો નાશ મોરબી : અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિતે અનાથ દિવ્યાંગ બાળકોને વસ્ત્રો, ભોજન અને ફળનું વિતરણ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્રારા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સ્ટેશનરી વિતરણ વાંકાનેરના માટેલ રોડ ઉપર પેપર મિલમાં લાગેલી આગથી 20 કરોડોનું નુકશાન: હજુ પણ આગ બેકાબૂ, 7 ફાયર ફાઈટર ઘટના સ્થળે હળવદના સેવાભાવી યુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા ૪૫ મી વખત રક્તદાન મોરબી જિલ્લા પંચાયત ખાતે પોશ એક્ટ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો મેન્ગૃવ સંરક્ષણ: મોરબી જીલ્લામાં ૫.૨૯ કરોડના ખર્ચે ૧૫૦૦ હેક્ટર જમીનમાં ચેરનું વાવેતર કરાયું
Breaking news
Morbi Today

ટંકારાના ધૂનડા(ખા)થી રસનાળ તરફ જતાં રસ્તા ઉપર કાર ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત


SHARE











ટંકારાના ધૂનડા(ખા)થી રસનાળ તરફ જતાં રસ્તા ઉપર કાર ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત

ટંકારા તાલુકાના ધૂનડા(ખાનપર)થી રસનાળ તરફ જવાના રસ્તા ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં આધેડનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભ મૃતક આધેડના મોટાભાઈએ કારચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ રસનાળના રહેવાસી અને હાલમાં અમદાવાદ ખાતે ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ પરસોતમનગરમાં રહેતા રાજેશભાઈ ભગવાનજીભાઈ વડગામા (55)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 3 એનએફ 7975 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાના ધૂનડા(ખાનપર)થી રસનાળ ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવેલ વળાંક પાસે કાર ચાલકે બેફિકરાઈથી તેની કાર ચલાવી હતી અને ફરિયાદીના નાના ભાઈ ઉમેશભાઈ ભગવાનજીભાઈ વડગામા રહે. રસનાળ વાળાના બાઈક નંબર જીજે 10 સીડી 6153 ને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના ભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News