મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેરના કણકોટ ગામે ગેરકાયદે ખનીજ ચોરી કરતા શખ્સો ઉપર એલસીબીની રેડ: 55 લાખની મુદ્દામાલ કબજે


SHARE











વાંકાનેરના કણકોટ ગામે ગેરકાયદે ખનીજ ચોરી કરતા શખ્સો ઉપર એલસીબીની રેડ: 55 લાખની મુદ્દામાલ કબજે

વાંકાનેર તાલુકાના કણકોટ ગામના સીમ વિસ્તારમાં બિલેશ્વર મહાદેવ મંદિર પાસે સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોવાની હકીકત આધારે એલસીબી ની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી એક જેસીબી અને એક ડમ્પર મળી આવ્યું હતું જેથી પોલીસે 55 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ખાણ ખનીજ વિભાગની ટીમે દંડ વસૂલવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં ખનીજ ચોરો ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી જિલ્લામાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરને સાથે રાખીને વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં બિલેશ્વર મહાદેવ મંદિર પાસે સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હતું ત્યાં રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં સ્થળ ઉપર સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ કરતા બે વાહન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે જેસીબી નંબર જીજે 36 એસ 2246 જેની કિંમત 30 લાખ રૂપિયા તથા ડમ્પર નંબર જીજે 2 એક્સ એક્સ 6442 જેની કિંમત 25 લાખ રૂપિયા આમ કુલ મળીને 55 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ગેરકાયદે ખનીજ ખનન પ્રવૃતિમાં પૃથ્વીરાજસિંહ ભગવતસિંહ ઝાલા રહે. કણકોટ અને મહેન્દ્રભાઈ કાળુભાઈ મકવાણા રહે. કણકોટ વાળાના નામ સામે આવ્યા હોય પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરાય છે






Latest News