ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની સમરસ ગ્રામ પંચાયતોના સરપંચોનું મંત્રી કિર્તિસિંહ વાઘેલાના હસ્તે કરાયું સન્માન


SHARE











મોરબી જિલ્લાની સમરસ ગ્રામ પંચાયતોના સરપંચોનું મંત્રી કિર્તિસિંહ વાઘેલાના હસ્તે કરાયું સન્માન

રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલબિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબીના ટાઉનહોલ ખાતે મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં સમરસ ગ્રામ પંચાયતના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી

ત્યારે રાજયમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે ગામડાઓનો શહેરી વિસ્તાર જેવો વિકાસ થાય અને છેવાડાના નાગરિકને પુરતી પ્રાથમિક સવલતો મળી રહે તેવી રાજય સરકારની નેમ છે. તેમણે વધુમાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને શહેરીજનો જેવી જ રસ્તા, વિજળી, ગટર, પાણી, શિક્ષણ અને આરોગ્યની તમામ પ્રકારની આધુનિક માળખાકિય સુવિધાઓ મળતી થયેલ હોવાનું વધુમાં જણાવ્યું હતું.  મોરબી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) અંતર્ગત વર્ષ ૨૦૧૬-૧૭ તથા ૨૦૧૭-૧૮ના પ્રથમ ફેસમાં ૯૧૧ ના લક્ષ્યાંક સામે ૮૨૯ આવાસોના કામ પર્ણ થયેલ છે અને બાકીના આવાસોનું કામ પ્રગતિમાં છે. વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ના બીજા ફેસમાં ૬૭૦ આવાસોના લક્ષ્યાંક સામે ૨૫૪ આવાસોનું કામ પૂર્ણ થયેલ છે. આમ બંને ફેસના કુલ ૧૫૮૧ ના લક્ષ્યાંક સામે ૧૦૮૩ આવાસોનું કામ પૂર્ણ થતાં જિલ્લામાં ૬૮.૫૦ ટકા કામગીરી થયેલ હોવાનું રાજયમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.

રાજયમંત્રીએ સમરસ ગ્રામ પંચાયત યોજનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલ સમરસ ગ્રામ પંચાયત યોજનાના પરિણામે મોરબી જિલ્લામાં ૭૧ ગ્રામ પંચાયતો સમરસ બનેલ છે તે તમામ અભિનંદનને પાત્ર છે રાજયમંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને મકાનની ચાવી અને મકાન સહાયના હુકમો એનાયત કરાયા હતાં. તેમજ ૭૧ સમરસ ગ્રામ પંચાયતોના સરપંચઓને રોકડ અનુદાન તથા સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતાં.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદડીયા, ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઇ કૈલા, જિલ્લા પંચાયતના ચેરમેન જયંતિભાઇ પડસુંબિયા, ચેરમેન પ્રવિણભાઇ સોનગ્રા, મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, ભાજપના આગેવાન જેઠાભાઇ પારેઘી, તાલુકા પંચાયતના ચેરમેન રાકેશભાઇ કાવર, અશોકભાઇ દેસાઇ તેમજ જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ સહિતના અધિકારી અને સરપંચો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.






Latest News