મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં વધુ બે વ્યાજખોરોની ધરપકં : ૭ પૈકી ૫ પકડાયા
એકાદશી નિમિતે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ અને છાશનું વિતરણ
SHARE
એકાદશી નિમિતે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ અને છાશનું વિતરણ
પરમાત્માની સાચી સેવા એ છે કે તરસ્યાને પાણી અને થાકેલાને રાહત આપવી.પવિત્ર પુરુષોત્તમ માસની એકાદશીના શુભ અવસરે મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા માનવસેવાનું અનોખું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ભીષણ ગરમીમાં રાહદારીઓ, દર્દીઓના સગાસંબંધીઓ તથા સામાન્ય જનતાને શીતળતા અને તાજગી મળે તે હેતુથી સિવિલ હોસ્પિટલ ખાતે ૭૦૦ ગ્લાસ શેરડીના રસ તેમજ ૧૦૦ ગ્લાસ ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસથી વ્યાકુળ લોકોને ઠંડક આપવાનો આ નાનકડો પ્રયાસ લોકો માટે રાહતરૂપ બન્યો હતો. સેવાના આ કાર્યથી અનેક લોકોના ચહેરા પર સંતોષ અને આનંદની લાગણી જોવા મળી હતી.મુસ્કાન વેલફેર સોસાયટીનું માનવું છે કે ધાર્મિક પર્વોની સાચી ઉજવણી ત્યારે જ થાય છે જ્યારે તેમાં માનવતાની સુગંધ ભળે. એકાદશીના આ પવિત્ર દિવસે કરવામાં આવેલી આ સેવા માત્ર તરસ છીપાવવાનો પ્રયાસ નહોતો, પરંતુ માનવતા, કરુણા અને પરોપકારનો જીવંત સંદેશ પણ હતો.મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. અંતે સૌએ પ્રાર્થના કરી કે ભગવાન શ્રીહરિ સૌના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ વરસાવે.