મોરબીમાં વાલ્મિકી સમાજ દ્વારા 11માં સમૂહ લગ્નોત્સવનું આયોજન મોરબીમાં રવિવારે સમસ્ત સોની મહાજન સમાજ દ્વારા પંચાઉ સમુહ જ્ઞાતિભોજનનું આયોજન હળવદ પ્રખંડમાં ઉમા સંકુલ ખાતે પરિષદ શિક્ષા વર્ગનો શુભારંભ મોરબીમાં એબીવીપી દ્વારા GCAS રજીસ્ટ્રેશન માટે હેલ્પ સેન્ટરનો પ્રારંભ મોરબી મનપાની ફૂડ શાખાએ 50 જગ્યાએ કર્યું ચેકિંગ: 15 વેપારીઓને ફટકારી નોટીસ આતુરતાનો અંત: મોરબી મહાપાલિકાના મેયર-ડેપ્યુટી મેયરનો મંગળવારે ફેંસલો, ચર્ચાસ્પદ નામ ઉપર મોહર લાગશે કે પછી સરપ્રાઇસ !  મોરબીની યુવતી સાથે દુષ્કર્મ આચરીને ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપવાના ગુનામાં પકડાયેલ રાજકોટનો શખ્સ જેલ હવાલે મોરબીના પીપળી ગામેથી યુવતી ગુમ
Breaking news
Morbi Today

મોરબી નજીક નર્મદાની કેનાલ લીકેજ થતાં ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત


SHARE











મોરબી નજીક નર્મદાની કેનાલ લીકેજ થતાં ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત

મોરબી જીલ્લામાં આવેલ નર્મદા ધ્રાંગધ્રા  બ્રાંચ કેનાલની ડિસ્ટ્રિબ્યુટરી D 27 ની વાઘપર માઇનોર કેનાલમાંથી પાણી લીકેજ થાય છે અને ખેડૂતોના ખેતરમાં પાણી આવી જાય છે જેથી ખેડૂતોને નુકશાન થાય છે માટે કેનાલ રીપેર કરવામાં આવે અને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સમિતિના જોઈન્ટ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સમિતિના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની ડિસ્ટ્રિબ્યુટરી D-27 ની વાઘપર માઇનોર કેનાલમાંથી પાણી લીકેજ થતા નજીક આવેલા ખેડૂતોના ખેતરમાં મોટું નુકશાન થયેલ છે. જો કે આ પરિસ્થિતિ છેલ્લા ચારેક વર્ષથી થઈ રહી છે. અને અવારનવાર રજુઆતો કરવા છતાં સ્થાનિક તંત્રના બહેરા કાનોને ખેડૂતોની વેદના સંભળાતી નથી અને અધિકારીને વેદના સમજાતી નથી. જેથી માયનોર કેનાલ રિપેર કરી ન હોવાથી મોંઘા ભાવના પાણીનો મોટા પાયે બગાડ થાય છે. અને ખેડૂતોને નુકશાન થાય છે તેમ છતાં કોઈ જવાબદાર અધિકારીઓને આ કામ કેમ દેખાતું નથી તે મોટો પ્રશ્ન છે. હાલમાં ખેડૂતોને અધિકારીને બેદરકારીના લીધે થયેલ નુકશાન સામે તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે અને સાથોસાથ કેનાલનું રિપેરિંગ કામ પણ કરાવવામાં આવે તેવી માંગણી કરી છે. અને જો કામ કરવામાં નહીં આવે તો ના છુટકે સ્થાનિક ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંઘ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે અને કાનૂની રહે વળતર મેળવવા કોર્ટેનો આશરો લેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News