મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અંધ-અપંગ ગૌ આશ્રમના ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા 20 લાખનું નુકશાન


SHARE











વાંકાનેરમાં અંધ-અપંગ ગૌ આશ્રમના ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા 20 લાખનું નુકશાન

વાંકાનેર ખાતે 1250થી વધુ અશકત અંધ અપંગ ગૌમાતાની સેવાકીય પ્રવૃતિ કરતી અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટની રાજાવડલા રોડ પર આવેલ (ગોપાલ વાડી) ખાતે કે જયાં ગૌ માતાઓનું પણ આશ્રય સ્થાન આવેલ છે ત્યાં ગઈકાલે બપોરના અરસામાં વિશાળ ગોડાઉનમાં ગૌ માતાઓ માટે રાખેલ સુકા ઘાસચારાના જંગી જથ્થામાં કોઈ કારણોસર આગ ભભુકી ઉઠતા આ આગએ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરી મચી જવા પામી હતી.

 આ ઘટનાની જાણ થતા જ ટ્રસ્ટી મહેશભાઈ રાજવીર, પાલીકા પૂર્વ ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, અમીતભાઈ સેજપાલ, રાજભાઈ સોમાણી, જતીનભાઈ ભીંડોરા સહીત સંખ્યાબંધ ગૌભકતોએ તાત્કાલીક ગોપાલવાડી ખાતે ઘટના સ્થળે ધસી આવ્યા હતા. આ ઉપરાંત ફાયર ટીમને પણ જાણ કરાતાની સાથે જ તે સમયસર ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ચાર કલાકની ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવેલ હતો.

સંસ્થાના પ્રમુખ મુન્નાભાઈ બુધ્ધદેવ સહીતના ટ્રસ્ટીઓની ટેલીફોન મુલાકાતમાં આ ટ્રસ્ટના ગોડાઉનમાં પંદરથી પણ વધુ ગાડી સુકો ઘાસચારો રાખવામાં આવેલ હતો જે આગામી ચોમાસા દરમ્યાન ગૌમાતાઓને અપાતો હોય છે. જેની અંદાજીત કિંમત 17થી 20 લાખ જેટલી થતી હોય છે. હાલ પવિત્ર પુરૂષોતમ માસ ચાલી રહેલ છે ત્યારે આ દુર્ઘટના બની છતા કોઈપણ જાનહાની થવા પામી ન હતી. અસંખ્ય ગૌમાતાઓના આબાદ બચાવથી ગૌ સેવકો તથા ગૌ ભકતોએ રાહતનો દમ લીધેલ હતો. અંતમાં અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીએ ચોમાસાની ઋતુ નજીક આવતી હોવાથી ચોમાસા દરમ્યાન ગૌમાતાને અપાતો સુકા ઘાસચારો ફરી એકત્રીત કરવા માટેની ચીંતા વ્યકત કરી હતી. આ તકે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પણ પાલીકા સદસ્યો સાથે ટેલીફોનીક વાતચીતથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો






Latest News