મોરબી નવયુગ સાયન્સ સ્કૂલ અને જ્ઞાનમંજરી દ્વારા નિટના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેમિનાર યોજાયો
18-05-2026 09:44 AM
SHARE
JOIN OUR GROUP
મોરબી નવયુગ સાયન્સ સ્કૂલ અને જ્ઞાનમંજરી દ્વારા નિટના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેમિનાર યોજાયો
હાલની નિટના વિદ્યાર્થીઓની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવયુગ સાયન્સ સ્કૂલ અને જ્ઞાનમંજરી દ્વારા વિદ્યાર્થીઓના ઉત્સાહ અને આત્મવિશ્વાસને જાળવી રાખવા માટે રાજકોટના બેસ્ટ કાઉન્સેલર પ્રતિક કાછડીયા દ્વારા મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં આવેલ સ્થિતિને વિદ્યાર્થીઓ આફત નહીં... પરંતુ નવો અવસર મળ્યો છે.તેમજ આ વિરામ નહીં પરંતુ વિજય મેળવવા માટેની તૈયારીનો સમય છે.તેવા ઘણા ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને રી-એકઝામ માટે મોટીવેટ કરવામાં આવ્યા હતા.
તેમજ નવી સુવર્ણ તક..નવી તૈયારી..નવા ઉત્સાહ સાથે તમારી મનગમતી કોલેજમાં એડમિશન મેળવી તમારા MBBS ના સ્વપ્નને સાકાર કરો.તેમજ પ્રતીકભાઈએ જણાવ્યું હતું કે તમે નસીબદાર છો કે આવી સ્કૂલ તમને મળી છે કે જે તમારો અભ્યાસ પૂરો થયા પછી પણ વિધાર્થીઓની ચિંતા કરે છે.આ સંસ્થા, તેના સંચાલક અને પ્રિન્સિપાલને અભિનંદન આપ્યા હતા.સેમિનાર પછી વિધાર્થીઓમાં અલગ જ પ્રકારની ચેતનાનો સંચાર થયો હતો અને નવા જોમ જુસ્સા સાથે વિધાર્થીઓ તૈયારીમાં લાગી જશે.નવયુગ અને જ્ઞાનમંજરીની ટીમ સાથે મળીને વધુ સારું પરિણામ આપશે તેવી આશા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન પી.ડી.કાંજીયાએ વ્યક્ત કરેલ છે.