મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે મકનમાથી ૯૫ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, આ એકની શોધખોળ


SHARE















મોરબીના મકનસર ગામે મકનમાથી ૯૫ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, આ એકની શોધખોળ

મોરબી તાલુકાના મકનસર (ભક્તિનગર-૨)  ગામે રેલ્વે સ્ટેશન પાસે રહેણાંક મકાનમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાથી વિદેશીદારૂની ૯૫ બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૧,૯૫૦ ના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હરેશભાઇ આગલ તથા દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.આલની સૂચનાથી હકીકત વાળી જગ્યા મકનસર ગામે આવેલ ભક્તિનગર -૨ માં અશોકભાઇ બાબુભાઇ ખાંભલા જાતે કોળી (૨૭ ના ઘરે દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાથી ૯૫ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૩૧,૯૫૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપીના કહેવા પ્રમાણે જયદીપસિંહ ઉર્ફે બ્રિજરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા રહે. મકનસર વાળાએ તેને આ દારૂનો જથ્થો છુપાવવા માટે આપ્યો હતો જેથી કરીને પોલીસે આપેલ હાલમાં અશોકભાઇ બાબુભાઇ ખાંભલાની ધરપકડ કરેલ છે અને જયદીપસિંહ ઉર્ફે બ્રિજરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી નરવિરસિંહ જાડેજા, સુરેશભાઇ હુંબલ, જયસુખભાઇ વસીયાણી, હરેશભાઇ આગલ, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઈ પટેલ, પંકજભા ગઢડા તથા જયેશભાઇ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે . 

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ

 






Latest News