મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે મકનમાથી ૯૫ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, આ એકની શોધખોળ


SHARE











મોરબીના મકનસર ગામે મકનમાથી ૯૫ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, આ એકની શોધખોળ

મોરબી તાલુકાના મકનસર (ભક્તિનગર-૨)  ગામે રેલ્વે સ્ટેશન પાસે રહેણાંક મકાનમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાથી વિદેશીદારૂની ૯૫ બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૧,૯૫૦ ના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હરેશભાઇ આગલ તથા દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.આલની સૂચનાથી હકીકત વાળી જગ્યા મકનસર ગામે આવેલ ભક્તિનગર -૨ માં અશોકભાઇ બાબુભાઇ ખાંભલા જાતે કોળી (૨૭ ના ઘરે દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાથી ૯૫ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૩૧,૯૫૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપીના કહેવા પ્રમાણે જયદીપસિંહ ઉર્ફે બ્રિજરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા રહે. મકનસર વાળાએ તેને આ દારૂનો જથ્થો છુપાવવા માટે આપ્યો હતો જેથી કરીને પોલીસે આપેલ હાલમાં અશોકભાઇ બાબુભાઇ ખાંભલાની ધરપકડ કરેલ છે અને જયદીપસિંહ ઉર્ફે બ્રિજરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી નરવિરસિંહ જાડેજા, સુરેશભાઇ હુંબલ, જયસુખભાઇ વસીયાણી, હરેશભાઇ આગલ, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઈ પટેલ, પંકજભા ગઢડા તથા જયેશભાઇ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે . 

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ

 






Latest News