મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ


SHARE













મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ

મોરબી જિલ્લાના વિરપર (મોરબી) ગામે આવેલ નવયુગ શૈક્ષણિક સંકુલનું ધો. 10 નું આ વર્ષે શાનદાર પરિણામ રહ્યું છે. અને સંકુલના 122 વિદ્યાર્થીઓમાંથી 122 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થતા શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે.

નવયુગ શૈક્ષણિક સંકુલના ધો. 10 ના વિદ્યાર્થીઓમાંથી A1 ગ્રેડમાં 24 વિદ્યાર્થીઓ તથા A2 ગ્રેડમાં 38 વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ સાથે પાસ થાય છે. અને નવયુગ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થી ઓમ એ. રાંકજા99.90 PR અને 97.17 ટકા મેળવ્યા છે અને સમાજવિદ્યા, વિજ્ઞાન અને ગણિત ત્રણેય વિષયોમાં 100 માંથી 100 ગુણ મેળવી સર્વોચ્ચ સિદ્ધિ નોંધાવી છે. જયારે આરુષિ એલ. સદાતીયા99.50 PR અને 95.67 ટકા મેળવ્યા છે અને વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. તો માન સી. કાલરીયાએ 98.61 PR  અને 94.00 ટકા મેળવ્યા છે. દક્ષ એચ. ભાંગરાએ 98.50 PR અને 93.83 ટકા, માર્ગી ટી. શેરશિયાએ 98.50 PR અને 93.83 ટકા તથા ઋત્વિ વી. વસીયાણીએ 98.38 PR અને 93.67 ટકા પરિણામ મેળવીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. અને ખાસ કરીને નવયુગ શૈક્ષણિક સંકુલના દરેક વિદ્યાર્થી સફળ થતા વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા, ટ્રસ્ટી તથા સમગ્ર શિક્ષકગણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.






Latest News