મોરબીના શનાળા રોડ ઉપરના સોસાયટી વિસ્તારમાં રજડતા કૂતરાએ 20 થી વધુ લોકોને બચકા ભર્યા
SHARE
મોરબીના શનાળા રોડ ઉપરના સોસાયટી વિસ્તારમાં રજડતા કૂતરાએ 20 થી વધુ લોકોને બચકા ભર્યા
મોરબીના શનાળા રોડ પર આવેલ જુદી જુદી સોસાયટી વિસ્તારની અંદર ગઇકાલે સાંજના સમયે રજડતા કૂતરાએ આતંક મચાવ્યો હતો અને એક બે નહીં પરંતુ 20 થી વધુ લોકોને બચકા ભરી લીધા હતા જેથી તે તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને રજડતા કૂતરા અવાર નવાર લોકોને બચકા ભરતા હોય મહાપાલિકાની ટીમ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે
મોરબીના શનાળા રોડ પર આવેલ જીઆઇડીસી પાસે ચિત્રકૂટ અને આસપાસની સોસાયટી વિસ્તારની અંદર ગઇકાલે સાંજના સમયે રજડતા કૂતરાએ આતંક મચાવી દીધો હતો અને રસ્તા ઉપરથી પસાર થતાં બાળકો, મહિલા, યુવાન, વૃદ્ધો વગેરેને નિશાન બનાવ્યા હતા અને તેઓને શરીરે બચકા ભરી લીધા હતા જેથી ઈજા પામેલા લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલને અન્ય જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા અને અવારનવાર શહેરના જુદા જુદા વિસ્તારની અંદર રજડતા કુતરા લોકોને બચકા ભરી લેતા હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હોય છે અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા રજડતા કૂતરાને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ લાગણી વ્યક્ત કરેલ છે