મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા


SHARE













મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા

મોરબીમાં ૨વા૫૨થી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જો કે, છેલ્લા બે મહિનાથી કામ બંધ છે જેથી કરીને લોકો સિંગલ પટ્ટી રોડથી ત્રાહિમામ પોકારી ગયા છે માટે મોરબી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપીને તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ કરવામાં આવેલ છે અને જો 15 દિવસમાં કોઈ કામ નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી

મોરબી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય લલિતભાઈ કાસુન્દ્રા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ૨વા૫૨થી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જો કે, છેલ્લા ઘણા સમયથી કામ બંધ પડ્યું છે જેથી કરીને ધૂળની ડમરી, ટ્રાફિક સહિતના પ્રશનોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે કેમ કે, છેલ્લા 2 મહિનાથી ઈન્દ્રપ્રસ્થ પાર્ટીપ્લોટથી વૈદેહી પ્લાઝા સુધી રોડની એક સાઈડ ખોદીને મૂકવામાં આવેલ છે જો કે, કામ કરવામાં આવી રહ્યું નથી અને સિંગલ પટ્ટીના રોડ ઉપર બંને બાજુથી સામે સામે વાહનો આવી જાય છે જેથી કરીને કલાકો સુધી ત્યાં ટ્રાફિકજામ થાય છે અને ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સહિતના લોકોને ભારે હેરાંગતિનો સામનો કરવો પડે છે. વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, મોરબીમાં મનપાના કમિશનર દર બુધવારે નાના ગરીબ લોકોના ઝૂંપડા તોડીને ડિમોલેશન કરે છે પરંતુ રવાપર રોડનું કામ અટકેલું છે તે કેમ ધ્યાને લેતા નથી અને આ કામ પૂરુ થાય તેની લોકો છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. જેથી હાલમાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે જો કે, આગામી 15 દિવસમાં કોઈ પગલાં લેવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે કેનાલ ચોકડીએ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી લલિતભાઈ કાસુન્દ્રાએ ચીમકી ઉચ્ચારી છે.






Latest News