ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ઓમ શાંતિ પાર્કમાં રહેતા નિવૃત્ત એ.એસ.આઇ.ના દીકરાના ઘરમાં ચોરી


SHARE











મોરબીના વાવડી રોડે ઓમ શાંતિ પાર્કમાં રહેતા નિવૃત્ત એ.એસ.આઇ.ના દીકરાના ઘરમાં ચોરી

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં રહેતા નિવૃત્ત એ.એસ.આઇ.ના દીકરાના ઘરની અંદર તસ્કરે ધામા નાખ્યા હતા અને તેના ઘરની અંદરથી ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે જે બનાવ નિવૃત એ.એસ.આઇ. દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ અને જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી જો કેચોરીના આ બનાવની ફરિયાદ લેવામાં આવી નથી જેથી કરીને વર્ષો સુધી પોલીસ બેડામાં ફરજ બજાવતા નિવૃત પોલીસ કર્મચારીમાં રોષની લાગણી જોવા મળી રહી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ખાખરાળાના રહેવાસી નિવૃત એ.એસ.આઈ. આયદાનભાઇ ગજીયાનો દીકરો હિતેશભાઈ આયદાનભાઇ ગજીયા (ઉમર ૩૦) મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં શેરી નંબર-૧ માં રહે છે જેનું મકાન માત્ર એક દિવસ બંધ હોય તેના ઘરને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવેલ છે અને તેના ઘરની અંદરથી ચાંદીના કડલા, ચાંદીના સંકળા તેમજ રોકડ રકમની ચોરી કરવામાં આવેલ છે જે બનાવની નિવૃત્ત એ.એસ.આઈ. દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તેમજ મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી જો કેતેઓની ફરિયાદ લેવામાં આવી નથી જેથી કરીને નિવૃત એ.એસ.આઈ.એ રોષની લાગણી વ્યક્ત કરી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે હિતેશભાઈ ગજીયા હાલમાં પીએસઆઇની પરીક્ષા માટે તૈયારી કરતા હોય ગાંધીનગર ખાતે ગયેલા હતા અને તેઓના પત્ની તેના માવતર ગયા હતા જેથી કરીને માત્ર એક દિવસ હિતેશભાઈનું ઘર બંધ રહ્યું હતું દરમ્યાન તસ્કર દ્વારા તેના ઘરની અંદર પ્રવેશ કરીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે ત્યારે જો પોલીસ દ્વારા પોલીસના ઘરની અંદર બનેલ ચોરીના બનાવની ફરિયાદ લેવામાં ન આવતી હોય તો અન્ય લોકોની સાથે પોલીસ મિત્ર કઈ રીતે બનતી હશે તે સૌથી મોટો સવાલ છે અત્રે એ વાતા પણ ઉલેખનીય છે કે, મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાં તસ્કર દ્વારા ચોરી કરવામાં આવી હતી અને ૧૦ થી વધુ દુકાનોને તોડવામાં આવી હતી તે બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા તો પણ ચોરીના આ બનાવમાં કોઈ ફરિયાદ નોંધવામાં આવેલ નથી અને છેલ્લા દિવસોમાં વાવડી રોડ ઉપર જુદાજુદા વિસ્તારમાં નાની મોટી ચોરીની ઘટનાઓ ઘણી બનેલ છે જો કે, ફરિયાદ એક પણ બનાવમાં નોંધવામાં આવી નથી






Latest News