મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો


SHARE







મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો

મોરબીમાં ફ્લેટ વેચાણ કરવાની જાહેરાત આપીને વૃદ્ધની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી જેથી કરીને તેઓએ યુવાન અને તેના માતા પિતાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ કરી હતી જે ગુનામાં પકડાયેલ દંપતીના જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલને દલીલને ધ્યાને લઈને કોર્ટે દંપતીના જામીન મંજૂર કર્યા છે.

મોરબીમાં રહેતા સુનિલકુમાર કુમુદચંદ્ર દોશીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અગાઉ પાર્થભાઈ મુકેશભાઈ મહેતા, મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને હીનાબેન મુકેશભાઈ મહેતા રહે. બધા આશુતોષ હાઈટસ બ્લોક નં. 101 કાયાજી પ્લોટ સનાળા રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, પાર્થભાઈ મહેતાએ પોતાના મોબાઈલ ફોન ઉપરથી ઓએલએક્સમાં ફ્લેટ વેચવા માટેની જાહેરાત મૂકી હતી જેથી ફરિયાદી તથા સાહેદો ફ્લેટ જોવા અને લેવા માટે ગયા હતા ત્યારે તેઓને વિશ્વાસમાં લઈને હીનાબેન મહેતાના નામના ફલેટ ઉપર બેંકમાં મોટી લોન લીધેલી હતી જે રેકોર્ડ ઉપર હોવા છતાં તે છુપાવ્યું હતું અને ફરિયાદીને ફ્લેટ વેચાણનો ખોટો સાટાખત કરી આપ્યો હતો. જેના અવાજમાં મોટી રકમ મેળવી લેવામાં આવી હતી તેમજ સાહેદ સાથે અગાઉથી કાવતરું રચીને વિશ્વાસમાં લઈને વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી હતી જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે યુવાન અને તેના માતા પિતાની ધરપકડ કરી હતી અને આ ગુનામાં પકડાયેલ આરોપીઓ મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને હીનાબેન મુકેશભાઈ મહેતાની મોરબીની સેશન્સ કોર્ટમાં તેના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફતે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી અને મોરબીના વિશેષ ન્યાયધીશ, અધીક ક્ષત્ર ન્યાયધીશ અને સેશન્સ જજ સાહેબ કે.આર.પંડયાની કોર્ટમાં આરોપીના વકીલએ સુપ્રીમ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા અને ધારદાર દલીલ કરી હતી જેને ઘ્યાને લઈને કોર્ટે આરોપીઓ મુકેશભાઈ મહેતા અને હીનાબેન મહેતાને પ્રત્યેકને રૂપિયા 25 હજાર ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે મનિષ પી. ઓઝા (ગોપાલ ભાઈ) તથા કુ. મેનાઝ એ પરમાર રોકાયેલા હતા.






Latest News