મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ


SHARE







મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ

મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એક ગરીબ પરિવારની બાળકી, જે વર્ષોથી દુનિયા સ્પષ્ટ રીતે જોઇ શકતી ન હતી અને આ બાળકીને દિવસ દરમિયાન થોડું ઝાંખું દેખાતું અને રાતના સમયે અંધકાર થઈ જતો હતો. આ બાળકીની પીડા અને પરિવારની લાચાર સ્થિતિને સમજતા મુસ્કાન વેલફેર સોસાયટી બાળકીની મદદ માટે આગળ આવી હતી અને આંખના નિષ્ણાત ડૉક્ટર પાસે બાળકીને લઈ જવામાં આવી હતી અને બાળકીના સારાં ભવિષ્ય માટે એટલી પ્રતિબદ્ધ હતી કે જો જરૂરી પડે તો ઓપરેશન કરાવવા માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર હતી. પરંતુ તપાસ બાદ ડૉક્ટરે જણાવ્યું કે, આ બીમારીનો સંપૂર્ણ ઈલાજ શક્ય નથી. આ સાંભળીને એક ક્ષણ માટે આશા ઝાંખી થઈ ગઈ હતી. છતાં ડૉક્ટરે એક નાની આશાની કિરણ દેખાઇ યોગ્ય સારવાર અને દવાઓ દ્વારા આ બીમારીને વધતી અટકાવી શકાય છે. મુસ્કાન વેલફેર સોસાયટીએ તરત જ ડૉક્ટરની સલાહ મુજબ જરૂરી દવાઓ અને આંખના ડ્રોપ્સ પૂરા પાડ્યા હતા. અને બાળકીની સારવાર ચાલુ રાખવાની જવાબદારી સ્વીકારી છે.






Latest News