મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ


SHARE













મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ

મોરબી કોર્ટે ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવાનો હુકમ કરેલ છે.

મોરબી કોર્ટે તાજેતરમાં ચેક રીર્ટનની ફરીયાદમાં મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપેલ છે.કેસની હકીકત જોઈએ તો, ફરીયાદી મનીષભાઈ નાથાભાઈ ધોડાસરાએ ભરતભાઈ રામજીભાઈ ડેડાણીયાને વર્ષ ૨૦૧૯ માં સંબંધના દાવે હાથ ઉછીના પેટે રૂપીયા ૧૩,૩૫,૦૦૦ આપેલ હતા.જે બાબતની મનીષભાઈ અને ભરતભાઈ વચ્ચે પ્રોમીસરી નોટ કરવામાં આવેલ હતી.જેની સામે ભરતભાઈએ મનીષભાઈને અલગ અલગ ચેકો આપેલ હતાં.જે ચેક મનીષભાઈએ પોતાના નાણાં વસુલવા પોતાના બેંક ખાતામાં રજુ કરતાં, ચેક વણચુકવ્યે પરત થતાં, મનીષભાઈએ ભરતભાઇને વકીલ મારફત નોટીસ આપેલ છતાં તેઓએ ચેકની રકમ ન આપતાં અંતે મનીષભાઈએ ભરતભાઈ રામજીભાઈ ડેડાણીયા વિરુધ્ધ મોરબી કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરેલ જે ફોજદારી કેસ નંબર ૫૬૦૩/૨૦૨૨ થી કેસ ચાલી જતાં, ફરીયાદી પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા રજુ કરાયેલ નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ મોરબીના મહે.ચોથા એડી.ચીફ જયુડી.મેજીસ્ટ્રેટ સી.વાય.જાડેજા સાહેબે ભરતભાઈ રામજીભાઈ ડેડાણીયાને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમથી ડબલ રકમનો દંડ રૂપીયા ૨૬,૭૦,૦૦૦ તથા ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ વળતર પેટે ચુકવવાનો અને તેમ કરવામાં કસુર કર્યે વધુ ૯૦ દીવસની સજા ફરમાવવાનો મહત્વનો ચુકાદો જાહેર કરેલ છે.આ કેસમાં ફરીયાદી પક્ષે વકીલ તરીકે એડ.આશિષ.ડી.ચાવડા અને એડ.મિતરાજસિંહ કે.જાડેજા રોકાયેલ હતાં.






Latest News