મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ


SHARE











મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ

લેન્સકાર્ટના માલિક દ્વારા હિન્દુ વિરોધી માનસિકતા જેવો પરિપત્ર કરવામાં આવેલ છે તેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળના આગેવાનો રવાપર રોડ પર આવેલ લેન્સકાર્ટના શોરૂમ પર પહોચ્યા હતા અને ત્યાં હિન્દુ કર્મચારીઓને તિલક કરીને સમગ્ર લેન્સકાર્ટનો વિરોધ કર્યો હતો.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો હાલમાં જે લેન્સકાર્ટના માલિક પિયુષ બંસલ દ્વારા કંપની રુલરેગયુંલેશન પરિપત્ર રાખવામા આવેલ છે તેમાં લખ્યું છે કે, શો-રૂમ ઉપર હિન્દુ કર્મચારીઓને તિલક ન કરવું, શિખા ન રાખવી, હાથમાં કલાવા ન બાંધવા અને સ્ત્રીઓને બિન્દી ન લગાડવી તેમજ મુસ્લિમ કર્મચારી હિજાબ પહેરી શકે આવી હિન્દુ વિરોધી માનસિકતાના લીધે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઠેરઠેર તેનો ઉગ્ર વિરોધ કરીને હિન્દુ સમાજને જાગૃત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આવા નિર્ણયને ભારતનો હિન્દુ સમાજ કોઈપણ પ્રકારે સાંખી લેશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. અને મોરબી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળના આગેવાનો સોમવારે સાંજે 7 કલાકે મોરબીના રવાપર રોડ પર આવેલ લેન્સકાર્ટના શોરૂમ પર પહોચ્યા હતા અને ત્યાં હિન્દુ કર્મચારીઓને તિલક કરીને સમગ્ર લેન્સકાર્ટનો વિરોધ કર્યો હતો આ તકે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને કમલેશભાઈ બોરિચાએ મોરબી સહિત દેશના લોકોને અપીલ કરતાં કહ્યું  હતું કે, એક હિન્દુ યોદ્ધ તરીકે કોઈએ પણ લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેન્સની ખરીદી કરવી જોઈએ તેવી અપીલ કરી હતી.






Latest News