મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

કોઈપણ પાર્ટીના નેતાઓએ મત માગવા આવવું નહીં: મોરબીના વોર્ડ નં 9 માં મતદારો આકરા પાણીએ


SHARE











કોઈપણ પાર્ટીના નેતાઓએ મત માગવા આવવું નહીં: મોરબીના વોર્ડ નં 9 માં મતદારો આકરા પાણીએ

મોરબીના સનાળા રોડ પર આવેલ અરિહંત સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા, પાણી, ગટર સહિતના જે પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવ્યા નથી જેથી કરીને સ્થાનિક લોકો રોષે ભરાયા છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાન રાખીને સોસાયટીમાં બંને બાજુએ બોર્ડ લગાવીને કોઈપણ રાજકીય પાર્ટીના નેતાએ મત માંગવા માટે અમારી સોસાયટીમાં આવું નહીં તેવું સ્પષ્ટપણે બોર્ડમાં લખવામાં આવ્યું છે અને આ રીતે લોકોએ પોતાની સમસ્યાઓને વાંચા આપીને પોતાની વેદના ઠાલવી છે.

મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર હાલમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે લોકો તરફથી તેઓના પ્રશ્નો મત માંગવા માટે આવતા ઉમેદવારો સમક્ષ રજુ કરવામાં આવતા હોય છે અને તે ઉકેલવા માટેની ઉમેદવારો દ્વારા ખાતરીઓ આપવામાં આવતી હોય છે પરંતુ ઘણી વખત ચૂંટાઈ ગયા બાદ કે પછી ચૂંટણી પૂરી થયા બાદ લોકોની સમસ્યાઓને ભૂલી જવામાં આવતી હોય છે આવો જ ઘાટ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સોસાયટીમાં જોવા મળી રહ્યો છે મોરબીના વોર્ડ નં 9 માં આવતી અરિહંત સોસાયટીમાં છેલ્લા સાત થી આઠ વર્ષથી રોડ રસ્તા, ગટર, પાણી જેવી સામાન્ય પ્રાથમિક સુવિધાઓની સમસ્યા છે અને તેને ઉકેલવા માટે અગાઉ જ્યારે ચૂંટણી આવી હતી ત્યારે પ્રશ્ન ઉકેવાની વાતો કરી હતી અને ત્યારે માલ સામાન મોકલીને તાત્કાલિક ખાતમહૂર્ત કરવામાં આવ્યુ હતું પરંતુ તે ખાતમહૂર્ત હતું કે પછી લોકોને મૂરખ બનાવવા માટેનો કાર્યક્રમ હતો તે આજની તારીખે લોકોને સમજાયું નથી જેથી પ્રાથમિક સુવિધાને લગતા તેઓના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા ન હોવાના કારણે રોષે ભરાયેલા સોસાયટીના લોકો દ્વારા હાલમાં સોસાયટીના બંને બાજુના પ્રવેશ દ્વાર પાસે બોર્ડ બેનર લગાવીને કોઈપણ પાર્ટીના નેતાઓએ તેમના સોસાયટી વિસ્તારની અંદર મત માંગવા માટે ન આવવું તેવી સ્પષ્ટ વાત સાથે પોતાની વેદના ઠાલવી છે.






Latest News