મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના જુદા જુદા બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત


SHARE











મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના જુદા જુદા બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત

મોરબી શહેર અને વાંકાનેર તાલુકા વિસ્તારમાં હાર્ટ એટેકથી વૃદ્ધ અને યુવાનનું મોત નીપજ્યું છે જ્યારે મોરબીમાં ભત્રીજાના ઘરે આવેલ વૃદ્ધાને બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

મોરબીના મકરાણી વાસ વિસ્તારમાં રહેતા નૂરમામદભાઈ જીવાભાઇ સંધિ (73) નામના વૃદ્ધ ભંગારની ફેરી કરતા હોય તેઓ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કદમ મેડિકલ વાળી શેરીમાં યદુનંદન સોસાયટી ખાતે ભંગારની ફેરી કરવા માટે થઈને ગયા હતા ત્યારે તેઓને હાર્ટ એટેક આવતા 108 મારફતે તેઓને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

અમદાવાદના સાણંદ ખાતે રહેતા લીલાબેન નટુભાઈ સોલંકી (76) નામના વૃદ્ધા મોરબીમાં સબજેલની સામેના ભાગમાં આવેલ વાલ્મિકી વાસ વિસ્તારમાં તેઓના ભત્રીજા ભરતભાઈના ઘરે આવ્યા હતા અને બીમારી સબબ તેઓને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

વાંકાનેર બાઉન્ટ્રી નજીક ટોલનાકા પાસે અજાણ્યા 45 થી 50 વર્ષના યુવાનને બીમારી સબબ 108 મારફતે ચોટીલાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા હતા દરમિયાન રસ્તામાં તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને પ્રાથમિક તપાસમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું જેની વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News