મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતોને દેશી ગાય વસાવીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ કર્યું આહ્વાન


SHARE











મોરબી જિલ્લાના ખેડૂતોને દેશી ગાય વસાવીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ કર્યું આહ્વાન

મોરબી જિલ્લા પંચાયત કચેરીના કંપાઉન્ડ ખાતે જિલ્લા પંચાયતના અધ્યક્ષ ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ખેડૂતોને કિસાન પરિવહન યોજનાટ્રેકટર સહાય યોજનાપાક સંરક્ષક યોજનાછત્રી સહાયગાય આધારિત ખેતી સહાયના હુકમોકિસાન ક્રેડિટ કાર્ડસ્માર્ટ ફોન યોજનાની મંજૂરીઓના હુકમો આમ કુલ મળીને ૧૨.૬૦ લાખ રૂપિયાની સહાય ૩૫ ખેડૂતોને અગ્રણીઓના હસ્તે એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરાએ જણાવ્યું હતું કેરાજ્ય સરકાર ખેડૂતોની આવક બે ગણી કરવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે જેના પરિણામે આજે ગુજરાતનો ખેડૂત સુખી સંપન્ન થયો છે અને ખેડૂતોનું જીવનધોરણ ઊંચુ આવ્યું છે. ચંદુભાઇએ ખેડૂતોને દેશી ગાય વસાવીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને માનવજાતમાંથી અસાધ્ય રોગોને દૂર કરવા ખેડૂતોને પોતાનું યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાએ પ્રાસંગીક ઉદ્દબોધન કરી ખેડૂતોને ગાય આધારિત ઝીરો બજેટ અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરી એક્સપોર્ટ ક્વોલીટીના પાકના ઉત્પાદન અંગે માહિતગાર કર્યા હતા. તો પ્રાકૃતિક ખેતીના નિષ્ણાંત અને ખેડૂત અગ્રણી દાજીભાઇ ગોહિલે સજીવપ્રાકૃતિક અને ગાય આધારિત ખેતીના ફાયદાઓ વર્ણવી ખેડૂતોને ઝીરો બજેટ ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત આત્મા દ્વારા શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડ પણ ઉપસ્થિત અગ્રણીઓ અને મહાનુભવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. ખેડૂતો માટે સજીવ ખેતી સહિતના વિષયો પર પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરાપ્રવિણભાઇ સોનગરાહંસાબેન પારધીજિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાજયંતભાઇ પડસુંબીયાચંદ્રીકાબેન કડીવારપ્રવીણભાઈ સોનગ્રામોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમારઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા ઉપરાંત જિલ્લા કલેક્ટર જે.બી. પટેલજિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવનાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇશીતા મેરજિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણનાયબ ખેતી નિયામક વિસ્તરણ સીણોજીયામદદનીશ ખેતી નિયામક રામોલીયાકાર્યપાલક ઇજનેર ચોધરી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાંત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News