ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ


SHARE







મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ

મોરબીમાં ભાજપની સાથે છેલ્લા 32 વર્ષથી જોડાયેલ આગેવાન દ્વારા આજે તેના સભ્ય પદ ઉપરથી રાજીનામું આપવામાં આવ્યું છે અને પોતાના રાજીનામમાં લખ્યું છે કે, “ભાજપને સાચા, સારા, નિષ્ઠાવાન, નોન કરપ્ટ અને સ્વચ્છ પ્રતિભાવાન કાર્યકરોની જરૂરીયાત ન હોય તેવું મને લાગે છે. માટે રાજીનામું આપ્યું છું.”

મોરબી નગર પાલીકાના વોર્ડ નં-૧૧ ના માજી કાઉન્સીલર હર્ષદભાઈ મોતીભાઈ કંઝારીયાએ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખને લેખિતમાં ભાજપના સભ્યપદેથી રાજીનામું આપી દીધેલ છે જેમાં જણાવ્યુ છે કે, “હું છેલ્લા 32 વર્ષથી ભાજપની સાથે જોડાયેલ છું. અને અમારા સતવારા સમાજને ભાજપ સાથે જોડવામાં અમુલ્ય યોગદાન આપેલ છે. અને હાલ મારી ઉમર 59 વર્ષ છે અને ખરેખર હવે ભાજપને સાચા, સારા, નિષ્ઠાવાન, નોન કરપ્ટ અને સ્વચ્છ પ્રતિભાવાન કાર્યકરોની જરૂરીયાત ન હોય તેવું મને લાગે છે. કારણ કે આયાતી તેમજ બેથી પાંચ વર્ષથી પાર્ટીમાં આવેલ લોકોને જો ટીકીટ અને સારા હોદા મળતા હોય અને મારા જેવા સીનીયર કાર્યકર્તાને જો ટીકીટ ન મળતી હોય તો મને એવું લાગે છે કે વિશ્વની મહાન પાર્ટીને મારા જેવા સનિષ્ઠ કાર્યકર્તાની જરૂરીયાત નથી એટલે મારા ભાજપના સભ્ય નં. 7009548535 છે અને હું મારા સભ્ય પદ ઉપરથી મારુ રાજીનામું આપું છું. ઉલેખનીય છે કે, હર્ષદભાઈ મોતીભાઈ કંઝારીયાએ મહાપાલિકા માટે ટિકિટની દાવેદારી કરી હતી અને તેઓને પક્ષ તરફથી ટિકિટ આપવામાં આવેલ નથી જેથી તેઓએ મહાપાલિકાના વોર્ડ નંબર 10 માંથી અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું છે.






Latest News