મોરબીના લક્ષ્મીનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર પરિણીત ઢગો ઝડપાયો,જેલ હવાલે
મોરબીમાં સગીરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
SHARE
મોરબીમાં સગીરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
મોરબીમાં સગીરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો થયેલ છે.
આ કેશની હકીકત એવી છે કે, આરોપી ઉમેશભાઇ અભેસિંગ ધાણકા રહે.પડધરી જી.રાજકોટ સામે આરોપીએ ફરીયાદીની સગીર વયની ભોગ બનનાર દિકરીને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી લઇ જઇ ભોગ બનનારને અગલ અલગ જગ્યાએ રાખી તેણીની સાથે વારવાર શરીરસંબંધ બાધી જાતીય પ્રવેશ હુમલો કરવાનો ગુન્નો માળીયા(મી.) પોલીસ સ્ટેશનમાં ગુના રજી.નં.૨૧૬/૨૦૨૨ થી ભારતીય દંડ સહિતાની કલમ ૩૬૩, ૩૬૬, તથા પોક્સો એક્ટની કલમ ૫(એલ), ૬, ૧૮ તળે નોંધાયેલ.આ અંગેનો કેસ મોરબીની સ્પે.પોક્સો જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપીના વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખીને આરોપીને તા.૧-૩-૨૬ના રોજ નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે.આ કામમાં આરોપી વતી સનીયર વકીલ બી.બી.હડીયલ રોકાયેલ હતા.