મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત વાંકાનેરના વીડી જાંબુડીયા નજીકથી 1.950 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.22 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં દંપતી અને તેના બે સંતાનોને ઇજા મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ
Breaking news
Morbi Today

વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન


SHARE











વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન

સમગ્ર વિશ્વમાં અરાજકતા અને અશાંતિ છે જેથી માનવ મનનું સુખચેન અને શાંતિ હણાય ગઈ છે. ત્યારે વિશ્વભરમાં શાંતિ સ્થાપાય અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તે માટે મોરબીમાં તા 9 એપ્રિલને ગુરુવારે સવારે 8 વાગ્યે મોરબીની દશાશ્રીમાળીવાડી ખાતે વિશ્વ શાંતિ માટે વિશ્વ દિવસની ઉજવણીના ભાગરૂપે નવકાર મંત્ર જાપનું આયોજન કરાયું છે.

વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિના હેતુ માટે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થા દ્વારા વિશ્વના 108 દેશો અને 100થી વધુ ભારતના શહેરોમાં એકીસાથે નવકાર મંત્ર જાપનું આયોજન કર્યું છે. ત્યારે મોરબીમાં તા. 9 એપ્રિલને ગુરુવારે સવારે 8 વાગ્યે મોરબીની દશાશ્રીમાળીવાડી ખાતે વિશ્વ શાંતિના અવસર પર વિશ્વ દિવસની ઉજવણીના ભાગરૂપે નવકાર મંત્ર જાપનું આયોજન કર્યું છે. જેથી જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થાના ચેરમેન હેમલભાઈ શાહ દ્વારા આ નવકાર મંત્ર જાપનો લાભ લેવા ધર્મપ્રેમી લોકોને નિમંત્રણ આપ્યું છે. આ આયોજનને સફળ બનાવ માટે મિહિરભાઈ દોશી, સાગરભાઇ શેઠ, બોનીભાઈ દફતરી અને નૈમિષ મહેતા સહિતની ટિમ જહેમત ઉઠાવી રહી છે.






Latest News