મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે


SHARE







વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે

વાંકાનેરના ઓળ ગામની હળદર ધાર તરીકે ઓળખાતા વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોવાની હકીકત મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ ડમ્પર અને એક એક્ટર મશીન તેમજ ખનીજ સહિત કુલ મળીને 4.10 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

વાંકાનેર તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના ઓળ ગામની હળદર ધાર વિસ્તાર તરીકે ઓળખાતી જગ્યામાં ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ખનીજ માફિયા ઉપર ધોંસ બોલાવી હતી અને ત્યાં રેડ કરી હતી ત્યારે ખાણ ખનીજ વિભાગની ટીમને પણ ત્યાં સાથે રાખવામાં આવી હતી અને સ્થળ ઉપરથી ડમ્પર નંબર જીજે 36 એક્સ 9153, ડમ્પર નંબર જીજે 36 એક્સ 8804, ડમ્પર નંબર જીજે 36 વી 9949 તથા એકવેસેટર મશીન અને સ્થળ ઉપરથી કાઢી લેવામાં આવેલ ખનીજનો જથ્થો ગણીને કુલ મળીને 4.10 કરોડ રૂપિયાની કિંમતનો મુદામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તેમજ મોરબીના એસપી મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સમીર સારડાની સૂચના મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એચ.એ.જાડેજા અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી






Latest News