મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે


SHARE













વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે

વાંકાનેરના ઓળ ગામની હળદર ધાર તરીકે ઓળખાતા વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોવાની હકીકત મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ ડમ્પર અને એક એક્ટર મશીન તેમજ ખનીજ સહિત કુલ મળીને 4.10 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

વાંકાનેર તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના ઓળ ગામની હળદર ધાર વિસ્તાર તરીકે ઓળખાતી જગ્યામાં ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ખનીજ માફિયા ઉપર ધોંસ બોલાવી હતી અને ત્યાં રેડ કરી હતી ત્યારે ખાણ ખનીજ વિભાગની ટીમને પણ ત્યાં સાથે રાખવામાં આવી હતી અને સ્થળ ઉપરથી ડમ્પર નંબર જીજે 36 એક્સ 9153, ડમ્પર નંબર જીજે 36 એક્સ 8804, ડમ્પર નંબર જીજે 36 વી 9949 તથા એકવેસેટર મશીન અને સ્થળ ઉપરથી કાઢી લેવામાં આવેલ ખનીજનો જથ્થો ગણીને કુલ મળીને 4.10 કરોડ રૂપિયાની કિંમતનો મુદામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તેમજ મોરબીના એસપી મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સમીર સારડાની સૂચના મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એચ.એ.જાડેજા અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી






Latest News