મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી
SHARE
મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી
મોરબીમાં ઉમા ટાઉનશિપ ખાતે રહેતા યુવાને વેપાર માટે રૂપિયાની જરૂર હતી ત્યારે અલગ અલગ બે વ્યક્તિઓ પાસેથી તેને કુલ મળીને 5 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા જેની સામે તેણે 7.90 લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ તેની પાસેથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપમાં મંગલ જ્યોત હોમ્સ 1 ખાતે રહેતા અનિલભાઈ ચંદુભાઈ જાકાસણીયા (35) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચિરાગભાઈ સંઘાણી રહે. ગોલ્ડન માર્કેટ પાસે રવાપર તથા સુરેશભાઈ કાથાલાલ રાયકા રહે. મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેને વેપાર માટે રૂપિયાની જરૂર હતી ત્યારે તેને ચિરાગ સંઘાણી પાસેથી 10 ટકાના વ્યાજે એક લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે 2.50 લાખ રૂપિયા મૂડી અને વ્યાજ ચૂકવ્યું છે તેવી જ રીતે સુરેશભાઈ રાયકા પાસેથી 10 ટકા ના વ્યાજે 4 લાખ રૂપિયા લીધા હતા જેની સામે વ્યાજ અને મુડી સહિત 5.40 લાખ રૂપિયા ચૂકવી આપેલ છે તેમ છતાં પણ સુરેશભાઈ રાયકા દ્વારા બંને આરોપીઓના રૂપિયાની ઉઘરાણી કરીને ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે