મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર મિલપ્લોટ રેલ્વે ફાટક પ્રશ્ન વર્ષો બાદ પણ અધ્ધરતાલ


SHARE











વાંકાનેર મિલપ્લોટ રેલ્વે ફાટક પ્રશ્ન વર્ષો બાદ પણ અધ્ધરતાલ

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર : શહેરનાં મિલપ્લોટ વિસ્તારનાં રેલ્વે ફાટક પ્રશ્નનું વર્ષો બાદ પણ નિરાકરણ નથી કરાયું, હજારો વાહન ચાલકો વર્ષોથી આ ફાટકથી પરેશાની ભોગવી રહ્યા છે.

મિલપ્લોટ રેલ્વે ફાટક પરથી દિવસ દરમ્યાન અનેક વાર ટ્રેનોની અવર જવર રહે છે ત્યારે આ એક જ માર્ગ હોય વારંવાર ફાટક બંધ થતાં હજારો વાહન ચાલકોની હાલાકી થાય છે, રેલ્વે સ્ટેશન જવાનો પણ આ એક જ મુખ્ય માર્ગ હોય રેલ્વે મુસાફરોને પણ ફાટકને કારણે દોડધામ થાય છે, આ ઉપરાંત રેલ્વેસ્ટેશનમાં પ્રવેશતા પહેલા પણ વધુ એક ફાટક આવતું હોય દિવસ દરમ્યાન અનેક વાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, હજારો રાહદારીઓ નો સમય વેડફાય છે આ મુદ્દે અનેક રજૂઆતો થઈ છે અહીં ઓવર બ્રિજ કે કોઈ પણ યોગ્ય રીતે નિરાકરણ કરવા વર્ષોથી માંગ કરવામાં આવી રહી છે તેમ છતાં કોઈ જ નિરાકરણ કરવામાં નથી આવતું અને હજારો વાહન ચાલકો અને આ વિસ્તારનાં રહેવાસીઓ દિવસ દરમ્યાન અનેક વાર ફાટક બંધ હોવાને લીધે ભારે હાલાકી વર્ષોથી ભોગવી રહ્યા છે ચુંટણી સમયે આ ફાટક પ્રશ્નનાં નિવારણ માટે ઠાલા વચનો આપવામાં આવે છે પરંતુ હજારો રાહદારીઓને પડતી હાલાકીનું નિવારણ કરવા હજુ સુધી કોઈ જ રાજકીય અગ્રણીઓએ ગંભીરતા દાખવી નથી ત્યારે હજારો લોકોની થઈ રહેલ હાલાકીને ધ્યાનમાં લઈ આ પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ કરવા માંગ ઉઠવા પામી છે.




Latest News