​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેર મિલપ્લોટ રેલ્વે ફાટક પ્રશ્ન વર્ષો બાદ પણ અધ્ધરતાલ


SHARE













વાંકાનેર મિલપ્લોટ રેલ્વે ફાટક પ્રશ્ન વર્ષો બાદ પણ અધ્ધરતાલ

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર : શહેરનાં મિલપ્લોટ વિસ્તારનાં રેલ્વે ફાટક પ્રશ્નનું વર્ષો બાદ પણ નિરાકરણ નથી કરાયું, હજારો વાહન ચાલકો વર્ષોથી આ ફાટકથી પરેશાની ભોગવી રહ્યા છે.

મિલપ્લોટ રેલ્વે ફાટક પરથી દિવસ દરમ્યાન અનેક વાર ટ્રેનોની અવર જવર રહે છે ત્યારે આ એક જ માર્ગ હોય વારંવાર ફાટક બંધ થતાં હજારો વાહન ચાલકોની હાલાકી થાય છે, રેલ્વે સ્ટેશન જવાનો પણ આ એક જ મુખ્ય માર્ગ હોય રેલ્વે મુસાફરોને પણ ફાટકને કારણે દોડધામ થાય છે, આ ઉપરાંત રેલ્વેસ્ટેશનમાં પ્રવેશતા પહેલા પણ વધુ એક ફાટક આવતું હોય દિવસ દરમ્યાન અનેક વાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, હજારો રાહદારીઓ નો સમય વેડફાય છે આ મુદ્દે અનેક રજૂઆતો થઈ છે અહીં ઓવર બ્રિજ કે કોઈ પણ યોગ્ય રીતે નિરાકરણ કરવા વર્ષોથી માંગ કરવામાં આવી રહી છે તેમ છતાં કોઈ જ નિરાકરણ કરવામાં નથી આવતું અને હજારો વાહન ચાલકો અને આ વિસ્તારનાં રહેવાસીઓ દિવસ દરમ્યાન અનેક વાર ફાટક બંધ હોવાને લીધે ભારે હાલાકી વર્ષોથી ભોગવી રહ્યા છે ચુંટણી સમયે આ ફાટક પ્રશ્નનાં નિવારણ માટે ઠાલા વચનો આપવામાં આવે છે પરંતુ હજારો રાહદારીઓને પડતી હાલાકીનું નિવારણ કરવા હજુ સુધી કોઈ જ રાજકીય અગ્રણીઓએ ગંભીરતા દાખવી નથી ત્યારે હજારો લોકોની થઈ રહેલ હાલાકીને ધ્યાનમાં લઈ આ પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ કરવા માંગ ઉઠવા પામી છે.






Latest News