મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 3 પાડાને બચાવ્યા: 3.03 લાખનો મુદામાલ કબ્જે


SHARE













મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 3 પાડાને બચાવ્યા: 3.03 લાખનો મુદામાલ કબ્જે

કચ્છથી મોરબી કતલ કરવા માટે વાહનમાં અબોલજીવને લઈને આવી રહ્યા છે તેવી બાતમી ગૌરક્ષકોને મળી હતી જેથી કરીને માળીયા પાસે વોચ રાખવામા આવી હતી અને મળેલ બાતમી મુજબના વાહનને પોલીસને હાજરીમાં પીપળીયા ચાર રસ્તા પાસે રોકીને ચેક કર્યું હતું ત્યારે તેમાંથી ત્રણ પાડા મળી આવ્યા હતા જેને બચાવી લેવામાં આવેલ છે અને હાલમાં વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કુલ મળીને 3.03 લાખનો મુદામાલ કબ્જે કરીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

કચ્છ બાજુથી માળીયા થઈને મોરબી તરફ વાહનમાં ક્રૂરતાપૂર્વક બાંધીને અબોલજીવને કતલખાને લઈ જવાના છે તેવી માહિતી મળી હતી જેથી વિશ્વ હિન્દુ પરિષદના મોરબી શહેરના અધ્યક્ષ કમલેશભાઈ બોરીચા, ચેતનભાઇ પાટડિયા, યસભાઈ વાઘેલા, વૈભવભાઈ પટેલ, પાર્થભાઈ નેસડિયા, જેકી ભાઈ, મનીષભાઈ કનજારિયા, જીતુભાઈ સેતા સહિતના ગૌરક્ષકોની ટિમ દ્વારા વોચ રાખવામા આવી હતી. તેવામાં માળિયા થઈને મોરબી બાજુ વાહન આવતું હતી ત્યારે પીપળીયા ચાર રસ્તા પાસેથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસે ચેક કરતાં બોલેરો ગાડી નંબર જીજે 3 બી ડબલ્યુ 5085 પસાર થઈ રહી હતી જેને રોકીને ચેક કરતાં તે ગાડીમાંથી કતલ લઈ જવાના 3 અબોલજીવ કતલ ખાને લઈ જતાં જોવાનું  સામે આવ્યું હતું જેથી અબોલજીવને બચાવી લેવામાં આવ્યા હતા અને વાહન ચાલકને પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, ત્રણેય અબોલજીવને મોરબ લઈ જવામાં આવતા હતા જો કે વાહન ચાલક પાસે કોઈ પરમિટ હતી નહીં જેથી મોરબી તાલુકા પોલીસે 3000 રૂપિયાની કિંમતના 3 અબોલજીવ તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,03,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબીમાં લીલાપર રોડ ઉપર બોરીચા વાસમાં રહેતા કમલેશભાઈ ભગવાનજીભાઈ રૂંજા (38)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હુસેનભાઇ ગનીભાઈ મતવા (42) રહે. સબજેલ પાસે મકરાણી વાસ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 






Latest News