મોરબી નજીકથી પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલે: વધુ બે ની ધરપકડ મોરબીના મચ્છુ-2 ડેમ નજીક આવેલ પુલ ઉપરની નીચે ઝંપલાવીને યુવતીએ કર્યો આપઘાત મોરબી : વિન્ટેલ ફાઉન્ડેશનએ શિક્ષણ સહાય અર્થે શાળાને એક લાખનું અનુદાન અર્પણ કર્યું મોરબીમાં ઓમ વીવીઆઈએમ કોલેજમાં યુવતીઓ માટે જાગૃતિનો સેમીનાર યોજાયો મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી અંત મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજાઇ મોરબીમાં રિપેરિંગ માટે 33 દિવસથી બંધ રાખવામા આવેલ પાડાપુલ કામ પૂરું થઈ જતાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકયો વાંકાનેર ખાતે ૨૦ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજાઇ


SHARE













મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજાઇ

મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણૂક થયેલ શ્રી સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. તાજેતરમાં કમિશ્નર અને નાયબ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી શાખા તથા સંસ્થાના સ્ટાફ દ્વારા રાત્રી સમયે ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલીંગ દ્વારા આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કરવાની ખાસ કામગીરી હાથ પરવામાં આવી હતી. અને નાઈટ-ડ્રાઈવનું આયોજન કર્યું હતું જેમાં ૨૨ ઘરવિહોણા લોકોને પોતાના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા




Latest News