​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

હળવદના વેગડવાવમાં ઝેરી દવા પી જતા 35 વર્ષીય યુવાનનું મોત, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE













હળવદના વેગડવાવમાં ઝેરી દવા પી જતા 35 વર્ષીય યુવાનનું મોત, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

હળવદના વેગડમાં ઝેરી દવા પી જતા 35 વર્ષીય ખેતમજૂર રણજીત તડવીનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. રાજકોટ સિવિલમાં સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.

મળતી વિગત અનુસાર, રણજીત રાજુભાઈ તડવી (ઉંમર વર્ષ 35, રહે. વેગડવાવ ગામ, તાલુકો હળવદ, જિ. મોરબી) ગઈકાલે સવારે 9 વાગ્યાં આસપાસ પોતે હાલ જ્યાં રહે છે ત્યાં હળવદના વેગડ ગામે શંકરભાઈ રાઠોડ ની વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી જતા પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે રણજીતને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે પોતે બે ભાઈમાં મોટો હતો તેઓ મૂળ છુટા ઉદયપુરના ક્વાંટ પંથકના વતની હતા અહીં પરિવાર ખેત મજૂરી કરે છે. રણજીતએ કયા કારણોસર ઝેરી દવા પીધી તેની જાણકારી સ્પષ્ટ ન થતા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.






Latest News