મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ પદે નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા: ચોમેરથી આવકાર મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણીને જાનથી મારી નાખવાની ધમકી દેવાના ગુનામાં 5 પૈકીનાં 3 આરોપી ઝડપાયા મોરબીમાં કમલમ ખાતે વિવિધ મોરચાના હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો મોરબીમાં શિવ અંજની કોર્પોરેશન હાઉસના સફાઈ કામ કરતાં સમયે પાંચમા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત હળવદમાં ચરાડવા પાસે બાઈક સ્લીપ થતા માથા-શરીરે ઇજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ઘર પાસે પડી ગયા બાદ બેભાન થઈ ગયેલ મહિલાનું સારવારમાં મોત વાંકાનેરમાં ચા બનાવવાની બાબતે પતિએ પત્નીને માર માર્યો
Breaking news
Morbi Today

હળવદના વેગડવાવમાં ઝેરી દવા પી જતા 35 વર્ષીય યુવાનનું મોત, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE











હળવદના વેગડવાવમાં ઝેરી દવા પી જતા 35 વર્ષીય યુવાનનું મોત, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

હળવદના વેગડમાં ઝેરી દવા પી જતા 35 વર્ષીય ખેતમજૂર રણજીત તડવીનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. રાજકોટ સિવિલમાં સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.

મળતી વિગત અનુસાર, રણજીત રાજુભાઈ તડવી (ઉંમર વર્ષ 35, રહે. વેગડવાવ ગામ, તાલુકો હળવદ, જિ. મોરબી) ગઈકાલે સવારે 9 વાગ્યાં આસપાસ પોતે હાલ જ્યાં રહે છે ત્યાં હળવદના વેગડ ગામે શંકરભાઈ રાઠોડ ની વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી જતા પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે રણજીતને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે પોતે બે ભાઈમાં મોટો હતો તેઓ મૂળ છુટા ઉદયપુરના ક્વાંટ પંથકના વતની હતા અહીં પરિવાર ખેત મજૂરી કરે છે. રણજીતએ કયા કારણોસર ઝેરી દવા પીધી તેની જાણકારી સ્પષ્ટ ન થતા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.






Latest News