મોરબી નજીકથી પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલે: વધુ બે ની ધરપકડ મોરબીના મચ્છુ-2 ડેમ નજીક આવેલ પુલ ઉપરની નીચે ઝંપલાવીને યુવતીએ કર્યો આપઘાત મોરબી : વિન્ટેલ ફાઉન્ડેશનએ શિક્ષણ સહાય અર્થે શાળાને એક લાખનું અનુદાન અર્પણ કર્યું મોરબીમાં ઓમ વીવીઆઈએમ કોલેજમાં યુવતીઓ માટે જાગૃતિનો સેમીનાર યોજાયો મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી અંત મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજાઇ મોરબીમાં રિપેરિંગ માટે 33 દિવસથી બંધ રાખવામા આવેલ પાડાપુલ કામ પૂરું થઈ જતાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકયો વાંકાનેર ખાતે ૨૦ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ચુવાળિયા ઠાકોર સમાજની મિટિંગ યોજાઇ  શિક્ષણ  તેમજ સંગઠન ઉપર ભાર મુકાયો


SHARE













મોરબી જિલ્લા ચુવાળિયા ઠાકોર સમાજની મિટિંગ યોજાઇ  શિક્ષણ  તેમજ સંગઠન ઉપર ભાર મુકાયો


મોરબીના ટીંબાવાડી માતાજીના સાનિધ્યમાં મોરબી જિલ્લા ચુવાળિયા ઠાકોર સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલા દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મિટિંગમાં સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટિંગના અમુક નિર્ણયો લેવાયા હતા.જેમ કે સંત શ્રી વેલનાથ બાપુ પુણ્યતિથિ મહોત્સવ આગામી તા.૨-૪-૨૬ ના રોજ હોય સમાજના ધર્મગુરુ સંત શ્રી વેલનાથ બાપુની પુણ્યતિથિને ભક્તિભાવપૂર્વક ઉજવવાનું નક્કી કરાયું છે.જેમાં ભવ્ય 'ભજન સંધ્યા' અને બાળકો માટે 'બટુક ભોજન'નું વિશેષ આયોજન કરવામાં આવશે.તેમજ  શિક્ષણ જાગૃતિ અભિયાન કેમકે સમાજનો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે દરેક બાળક શિક્ષિત હોય.મિટિંગમાં શિક્ષણ મુદ્દે ગહન ચર્ચા કરવામાં આવી અને વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન અને જરૂરી મદદ પૂરી પાડવા માટે આયોજન કરાયું હતું.તેમજ સંગઠન શક્તિ કેજે સમાજની એકતા જ સમાજની સાચી શક્તિ છે.ચુવાળિયા ઠાકોર સમાજને વધુ મજબૂત અને સંગઠિત બનાવવા માટે નવા હોદ્દેદારો અને યુવાનોમાં જોશ જગાડવામાં આવ્યો હતો.આ મિટિંગમાં જિલ્લાભરમાંથી પધારેલા વડીલો અને કાર્યકરોએ સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે પોતાના અમૂલ્ય સૂચનો આપ્યા હતા.




Latest News