મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ચુવાળિયા ઠાકોર સમાજની મિટિંગ યોજાઇ  શિક્ષણ  તેમજ સંગઠન ઉપર ભાર મુકાયો


SHARE











મોરબી જિલ્લા ચુવાળિયા ઠાકોર સમાજની મિટિંગ યોજાઇ  શિક્ષણ  તેમજ સંગઠન ઉપર ભાર મુકાયો


મોરબીના ટીંબાવાડી માતાજીના સાનિધ્યમાં મોરબી જિલ્લા ચુવાળિયા ઠાકોર સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલા દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મિટિંગમાં સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટિંગના અમુક નિર્ણયો લેવાયા હતા.જેમ કે સંત શ્રી વેલનાથ બાપુ પુણ્યતિથિ મહોત્સવ આગામી તા.૨-૪-૨૬ ના રોજ હોય સમાજના ધર્મગુરુ સંત શ્રી વેલનાથ બાપુની પુણ્યતિથિને ભક્તિભાવપૂર્વક ઉજવવાનું નક્કી કરાયું છે.જેમાં ભવ્ય 'ભજન સંધ્યા' અને બાળકો માટે 'બટુક ભોજન'નું વિશેષ આયોજન કરવામાં આવશે.તેમજ  શિક્ષણ જાગૃતિ અભિયાન કેમકે સમાજનો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે દરેક બાળક શિક્ષિત હોય.મિટિંગમાં શિક્ષણ મુદ્દે ગહન ચર્ચા કરવામાં આવી અને વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન અને જરૂરી મદદ પૂરી પાડવા માટે આયોજન કરાયું હતું.તેમજ સંગઠન શક્તિ કેજે સમાજની એકતા જ સમાજની સાચી શક્તિ છે.ચુવાળિયા ઠાકોર સમાજને વધુ મજબૂત અને સંગઠિત બનાવવા માટે નવા હોદ્દેદારો અને યુવાનોમાં જોશ જગાડવામાં આવ્યો હતો.આ મિટિંગમાં જિલ્લાભરમાંથી પધારેલા વડીલો અને કાર્યકરોએ સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે પોતાના અમૂલ્ય સૂચનો આપ્યા હતા.






Latest News