મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે ​​​​​​​મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધાએ એપાર્ટમેન્ટની અગાસી ઉપર આવેલ ઓરડીમાં કરેલા આપઘાતના બનાવમાં એક મહિલા સહિત 8 સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીમાં વૃદ્ધાએ એપાર્ટમેન્ટની અગાસી ઉપર આવેલ ઓરડીમાં કરેલા આપઘાતના બનાવમાં એક મહિલા સહિત 8 સામે ગુનો નોંધાયો

મોરબી શહેરમાં આવેલ ડિવાઇન પાર્કમાં સત્ય બી એપાર્ટમેન્ટની અગાસી ઉપર આવેલ ઓરડીમાં થોડા દિવસો પહેલા વૃદ્ધાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધાના દીકરાએ તેની માતાને ધમકીઓ આપીને હેરાન પરેશાન કરનારા તે જ એપાર્ટમેંટમાં રહેતા એક મહિલા સહિત કુલ આઠ વ્યક્તિઓની સામે મારવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓ પકડવા માટે તજવીજ હાથ ધરી છે

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ડિવાઇન પાર્કમાં સત્ય બી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 301 માં રહેતા નરેન્દ્રભાઈ છગનભાઈ પાંચોટિયા (44) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનોજભાઈ રમણીકભાઈ આદ્રોજા, વિશાલભાઈ અમરશીભાઈ ઘોડાસરા, નિલેશભાઈ પ્રભુભાઈ બારૈયા, ભાવિકભાઈ કાળુભાઈ વિરમગામ, કેવલ કાળુભાઈ વિરમગામ, રમણીકભાઈ ઉર્ફે ધામી આદ્રોજા, નાનજીભાઈ જીવાણી અને વિલાસબેન રહે. બધા કંડલા બાયપાસ સત્ય બી એપાર્ટમેન્ટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓએ ફરિયાદી તથા તેના પરિવાર સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને ફરિયાદીના માતા સવિતાબેન છગનભાઈ પાંચોટિયા (75) ને અવારનવાર ફરિયાદીની હાજરીમાં તથા ગેરહાજરીમાં ધાક ધમકીઓ આપી હતી અને ફરિયાદી તથા તેના પરિવારને નુકસાન કરવાની ધમકી આપી હતી આમ ફરિયાદીના માતાને ટોર્ચર કરીને હેરાન પરેશાન કરીને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવેલ હતો જેથી કરીને ફરિયાદીના માતા સવિતાબેન છગનભાઈ પાંચોટિયા (75) એ એપાર્ટમેન્ટના ધાબાની ઓરડીમાં પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું।જે બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાએ તેની માતાએ મારવા માટે મજબૂર કરનારાઓની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News