મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વાહન લે-વેચના રૂપિયા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી: હવે સામસામી ફરિયાદ


SHARE











વાંકાનેરમાં વાહન લે-વેચના રૂપિયા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી: હવે સામસામી ફરિયાદ

વાંકાનેરની ભાટીય સોસાયટીમાં રહેતા યુવાનને સાત આઠ મહિના પહેલા વાહનની લે વેચના પૈસા બાબતે બાબતે મારામારી થઈ હતી જે બાબતને લઈને બંને પક્ષેથી મારા મારી કરવામાં આવી હતી જેથી કરીને બંને પક્ષેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ હાલમાં બંને પક્ષેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે તેના આધારે પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ભૂતનાથ મંદિર પાસે રહેતા સંજયભાઈ રાણાભાઇ ખાંડેખાં (32)એ  હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા, કિશોરસિંહ ઝાલા, રવિરાજસિંહ કિશોરસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ કિશોરસિંહ ઝાલા, શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલા અને મહેન્દ્રસિંહ સહદેવસિંહ ઝાલા રહે. બધા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, તેઓને આરોપી સાથે અગાઉ સાત-આઠ મહિના પહેલા વાહન લે વેચના પૈસા બાબતે મારા મારી થઈ હતી જે બાબતનું મન દુઃખ રાખીને આરોપીઓ સ્વિફ્ટ અને બલેનો ગાડીમાં આવ્યા હતા અને સાહેહરેશભાઈને હરપાલસિંહ ઝાલાએ છરી મારીને ઇજા કરી હતી જ્યારે શિવરાજસિંહ ઝાલાએ સ્વીફ્ટ ગાડી મારી નાખવાના ઇરાદે ચલાવીને સાહેને ડફેટ લઈને નાની મોટી ઇજાઓ કરી હતી જો કે, બાકીના આરોપીઓએ ફરિયાદી સહિતના સાહેદોને ગાળો આપી હતી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જયારે સામાપક્ષેથી વઘાસિય ગામે રહેતા શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલા (30)એ હાલમાં સંજયભાઈ રાણાભાઇ ખાંડેખા, બળદેવભાઈ રાણાભાઇ ખાંડેખા, હરેશભાઈ રાણાભાઇ ખાંડેખા, અંકુર રાજગોર, શિવાજી રાજગોર, રાહુલ રાજગોર, રોહિત ખેંગારભાઈ રાજગોર અને રમેશભાઈ ધીરુભાઈ રાજગોર રહે. તમામ ભાટિયા સોસાયટી વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે સાહેહરપાલસિંહને આરોપી સંજયભાઈ ખાંડેખા સાથે સાત-આઠ મહિના પહેલા વાહનની લે વેચ ના પૈસા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવનો ખાર રાખીને ફરિયાદીની સ્વિફ્ટ  કારના આગળ અને પાછળના કાચમાં ધોકા અને પાઇપ મારીને ગાળો આપી હતી અને વાહનમાં નુકસાન કર્યું છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News