ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વાહન લે-વેચના રૂપિયા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી: હવે સામસામી ફરિયાદ


SHARE











વાંકાનેરમાં વાહન લે-વેચના રૂપિયા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી: હવે સામસામી ફરિયાદ

વાંકાનેરની ભાટીય સોસાયટીમાં રહેતા યુવાનને સાત આઠ મહિના પહેલા વાહનની લે વેચના પૈસા બાબતે બાબતે મારામારી થઈ હતી જે બાબતને લઈને બંને પક્ષેથી મારા મારી કરવામાં આવી હતી જેથી કરીને બંને પક્ષેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ હાલમાં બંને પક્ષેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે તેના આધારે પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ભૂતનાથ મંદિર પાસે રહેતા સંજયભાઈ રાણાભાઇ ખાંડેખાં (32)એ  હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા, કિશોરસિંહ ઝાલા, રવિરાજસિંહ કિશોરસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ કિશોરસિંહ ઝાલા, શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલા અને મહેન્દ્રસિંહ સહદેવસિંહ ઝાલા રહે. બધા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, તેઓને આરોપી સાથે અગાઉ સાત-આઠ મહિના પહેલા વાહન લે વેચના પૈસા બાબતે મારા મારી થઈ હતી જે બાબતનું મન દુઃખ રાખીને આરોપીઓ સ્વિફ્ટ અને બલેનો ગાડીમાં આવ્યા હતા અને સાહેહરેશભાઈને હરપાલસિંહ ઝાલાએ છરી મારીને ઇજા કરી હતી જ્યારે શિવરાજસિંહ ઝાલાએ સ્વીફ્ટ ગાડી મારી નાખવાના ઇરાદે ચલાવીને સાહેને ડફેટ લઈને નાની મોટી ઇજાઓ કરી હતી જો કે, બાકીના આરોપીઓએ ફરિયાદી સહિતના સાહેદોને ગાળો આપી હતી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જયારે સામાપક્ષેથી વઘાસિય ગામે રહેતા શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલા (30)એ હાલમાં સંજયભાઈ રાણાભાઇ ખાંડેખા, બળદેવભાઈ રાણાભાઇ ખાંડેખા, હરેશભાઈ રાણાભાઇ ખાંડેખા, અંકુર રાજગોર, શિવાજી રાજગોર, રાહુલ રાજગોર, રોહિત ખેંગારભાઈ રાજગોર અને રમેશભાઈ ધીરુભાઈ રાજગોર રહે. તમામ ભાટિયા સોસાયટી વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે સાહેહરપાલસિંહને આરોપી સંજયભાઈ ખાંડેખા સાથે સાત-આઠ મહિના પહેલા વાહનની લે વેચ ના પૈસા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવનો ખાર રાખીને ફરિયાદીની સ્વિફ્ટ  કારના આગળ અને પાછળના કાચમાં ધોકા અને પાઇપ મારીને ગાળો આપી હતી અને વાહનમાં નુકસાન કર્યું છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News