મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં 20 થી 40 ટકા ઊંચા વ્યાજે રૂપિયા આપીને યુવાન પાસે પઠાણી ઉઘરાણી: વ્યાજખોરે બરણી-ઢીકાપાટુનો મારમાર્યો


SHARE













મોરબીમાં 20 થી 40 ટકા ઊંચા વ્યાજે રૂપિયા આપીને યુવાન પાસે પઠાણી ઉઘરાણી: વ્યાજખોરે બરણી-ઢીકાપાટુનો માર માર્યો

મોરબીના મહેન્દ્રનગર ગામે ઇન્દિરાનગર પાસે આવેલ ગાયત્રીનગરમાં હનુમાનજીના મંદિરની પાછળના ભાગમાં રહેતા યુવાને તથા તેના ભાઈ તેમજ પિતાએ અલગ અલગ સમયે બે વ્યક્તિઓ પાસેથી 20 થી લઈને 40 ટકા સુધીના માસિક વ્યાજે રૂપિયા લીધેલા હતા અને જેટલા રૂપિયા લીધેલા હતા તેના કરતા વધુ વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં પણ બળજબરીથી ઉઘરાણી કરવા માટે યુવાનને શરીરે બરણી મારીને ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી ઇજા પામેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીના ઇન્દિરાનગર પાસે આવેલ ગાયત્રીનગરમાં રહેતા મુકેશભાઈ જેન્તીભાઈ ચૌહાણ (26) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાનાભાઈ ભરતભાઈ ગઢવી અને જીગ્નેશભાઈ ભરતભાઈ ગઢવી રહે. બંને તક્ષશિલા સ્કૂલ પાસે મહેન્દ્રનગર મોરબી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીને તેના પિતાની સારવાર માટે રૂપિયાની જરૂર હતી ત્યારે તેણે વર્ષ 2022 માં કાનાભાઈ ગઢવી પાસેથી 40 ટકાના માસિક વ્યાજે 90,000 રૂપિયા લીધેલા હતા.તેમજ ફરિયાદીના પિતાએ કાનાભાઈ ગઢવી પાસેથી 20 ટકાના માસિક વ્યાજે બે લાખ રૂપિયા લીધેલા હતા તથા ફરિયાદીના ભાઈ રાહુલભાઈએ આરોપી જીગ્નેશભાઈ ગઢવી પાસેથી 20 ટકાના માસિક વ્યાજ લેખે 2.40 લાખ રૂપિયા લીધેલા હતા જેની સામે ફરિયાદી તથા સાહેદોએ અત્યાર સુધીમાં મૂડી કરતાં વધુ વ્યાજ ચૂકવી દીધું છે તેમ છતાં પણ આરોપીઓ દ્વારા બળજબરીથી વધુ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી છે અને કાનાભાઈ ગઢવીએ ફરિયાદીને શરીરે બરણી મારી હતી ત્યાર બાદ ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે






Latest News