ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે કોલસા ભરેલ ટ્રેલર રીક્ષા ઉપર પલટી મારી ગયું, એકનું મોત, ચારને ઇજા


SHARE







મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે કોલસા ભરેલ ટ્રેલર રીક્ષા ઉપર પલટી મારી ગયું, એકનું મોત, ચારને ઇજા

મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે સર્વિસ રોડ પાસે ઉતારવાની જગ્યાએ અકસ્માત સર્જાયો છે જેમાં કોલસા ભરેલો ટ્રેલર જુદીજુદી બે રિક્ષા ઉપર પલટી મારી ગયું હતું જેથી કરીને રીક્ષા દબાઈ જતા તેમાં બેઠેલા એક રિક્ષા ચાલકનું સ્થળ ઉપર જ મોત નીપજયું છે જો કે, અન્ય રિક્ષા ચાલક સહિત ચારેક લોકોને ઇજા થતાં તેને સારવારમાં ખસેડાયેલ છે અને હજુ પણ ઇજાગ્રસ્તનો આંકડો વધે તેવી શક્યતા છે

મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે કોલસો ભરેલ ટ્રેલર પસાર થતું હતું ત્યારે ટે વાહન અચાનક જ પલટી મારી ગયું હતું ત્યારે બે ઓટો રીક્ષા ટ્રેલર ની છે દબાઈ ગઈ હતી જેથી કરીને મૂળ સુરેન્દ્રનગરના ખેરવા ગામના અને હાલમાં મોરબીના સામાકાંઠે આવેલ કાંતિનગરમાં રહેતા રીક્ષા ચાલક સુલતાનશાહ રમજુશા દીવાન (ઉ.૪૧) નામના યુવાનનું મોત નીપજયું છે અને અન્ય ચારેક લોકોને ઇજાઓ થયેલ છે જેમાં રીક્ષા ચાલક હિતેશ શાંતિલાલ રાવળદેવ (૩૦) રહે, વાંકાનેર , ચંદનસિંહ સુનારસિંગ (૨૦) અને નવીનસિંહ કરિયાસિંગ (૨૧) રહે, બંને ઓડિશા વાળાનો સમાવેશ થાય છે અને હજુ પણ ઇજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને ટ્રેલરમાથી ઢોળાયેલ કોલસા નીચે દટાયેલાં રિક્ષા હટાવવા માટે અને કોઈ દબાયું હોય તો તેને કાઢવા માટે જેસીબીની મદદ લેવાં આવી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News