મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત


SHARE













વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત

વાંકાનેરના જામસર ગામની સીમમાં વાડીએ નીરણના જથ્થામાં આગ લાગી હતી જેને ઠારવા માટે જઈ રહેલ આધેડ ગયા હતા ત્યારે ત્યાં જીબીનો એક વાયર તૂટીને નીચે પડ્યો હતો જેના ઉપર આધેડનો પગ આવી ગયો હતો જેથી કરીને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા અને ખેતી કામ કરતા વાઘજીભાઈ શીવાભાઈ દેલવાડીયા (57) નામના આધેડની જામસર ગામની સીમમાં વાડી આવેલ છે અને તે વાડીએ તેઓ તથા તેનો દીકરો જયદેવ (25) બંને હાજર હતા ત્યારે નીરણમાં આગ લાગી હતી જેથી વઘાજીભાઇ તેને ઠારવા માટે ગયા હતા ત્યારે વાડીમાંથી પસાર થતી જીઈબીની ત્રણ તારની લાઈન પૈકીનો એક વાયર તૂટીને નીચે જમીન ઉપર પડ્યો હતો અને તેના ઉપર વાઘજીભાઈનો પગ આવી જવાથી તેઓને ઇલેક્ટ્રીક શોર્ટ લાગી ગયો હતો માટે વઘાજીભાઇને તેનો દીકરો જયદેવ તાત્કાલિક સારવાર માટે રફાળેશ્વર ગામ પાસે આવેલ એપેક્ષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીમાં માળિયા ફાટક પાસે રહેતા ઈકબાલ શેરઅલી મિયાણા (30) નામના યુવાનને ત્રાજપર  ચોકડી પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગર ખાતે રહેતા પ્રવીણભાઈ મહેશભાઈ ગુપ્તા (37) નામનો યુવાન બાપાસીતારામની મઢુલી પાસે ધરમપુર રોડ ઉપરથી બાઈકમાં જતો હતો ત્યારે બાઈક આડે કૂતરું આવતા બાઇક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીમાં કુબેર ટોકીઝ નજીક આવેલ ધાર વિસ્તાર ખાતે રહેતા ક્રિષ્ના પ્રવીણભાઈ સનુરા (17)એ કોઈ કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવેલ છે અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હત






Latest News