મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત


SHARE











મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત

મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ સિરામિક કારખાના પાસેથી પસાર થતી કેનાલમાં અકસ્માતે યુવાન પડી ગયો હતો અને પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ઊંચી માંડલ ગામે હાલમાં રહેતા સુરજભાઈ અટલસિંગ ગુર્જર (20) નામનો યુવાન મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ નેક્સોન સીરામીક કારખાનાની બાજુમાંથી પસાર થતી કેનાલમાં અકસ્માતે પડી ગયો હતો અને પાણીમાં ડૂબી ગયો હતો જેથી આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કેનાલના પાણીમાં શોધખોળ કરીને યુવાનના મૃતદેને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને પીએમ માટે યુવાનના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરામાં આવેલ ભીમરાવનગરમાં રહેતા સવિતાબેન કરસનભાઈ ચાવડા (60) નામના વૃદ્ધાને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યારે રોહીદાસપરા વિસ્તારની અંદર રહેતા રચનાબેન નરેશભાઈ પંડ્યા (26) નામના મહિલાને મારામારીના બનાવમાં ઇજા થઈ હોવાથી તેઓને પણ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બંને બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાનને મારમાર્યો

મોરબીમાં કુબેર ટોકીઝ પાસે રહેતા અમિતભાઈ ગોવિંદભાઈ ચાવડા (36) નામનો યુવાન મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ દુકાને બેઠો હતો ત્યારે વિશાલ અને અન્ય વ્યક્તિઓએ ત્યાં આવીને તેને હાથ ઉપર ઈંટનો ઘા માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા દિનેશભાઈ પલાસભાઈ બારોટ (25) નામના યુવાનને મારામારીના બનાવમાં જમણા હાથ તથા માથાના ભાગમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News