મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો


SHARE













વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો

વાંકાનેરની શુકલ શેરીમાં ધુળેટીના દિવસે બાળકો પોતાના ઘર નજીક કલર અને પાણીથી ધુળેટી રમી રહયા હતા દરમિયાન ત્યાં રહેતી મહિલા બાળકોની સાઈકલ ઉપર બેસીને ફોટો વિડીયો બનાવતી હતી અને સાયકલ તેના ઘર પાસે લઈ ગઈ હતી જેથી બાળકોના માતા-પિતા તે મહિલાના ઘર પાસે ગયા હતા ત્યારે મહિલા અને તેના પતિએ શેરીમાં રહેતા લોકોને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તથા ઇંટ-પથ્થરના છુટા ઘા કરીને તેઓને ઇજા કરી હતી તેમજ એક મહિલાને ડાબા પગમાં લાકડી મારી હતી જેથી ઈજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દંપતી સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરમાં રામચોક પાસે આવેલ શુકલ શેરીમાં રહેતા ખુશ્બુબેન મહેન્દ્રભાઈ વરસડાએ હાલમાં જ્યોતિકાબેન બટુકભાઈ મેઘાણી અને બટુકભાઈ ગોરધનભાઈ મેઘાણી રહે.બંને શુક્લ શેરી રામચોક વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, ગઈકાલે ધુળેટીના દિવસે તેઓ તથા શેરીમાં રહેતા અન્ય લોકોના બાળકો કલર અને પાણીથી ધુળેટી રમતા હતા ત્યારે જ્યોતિકાબેન ત્યાં આવ્યા હતા અને છોકરાઓની સાયકલ ઉપર બેસીને ફોટો વિડીયો બનાવ્યા હતા તેમજ સાયકલ પોતાના ઘર પાસે લઈ ગયા હતા જેથી ફરિયાદી અને અન્ય સાહેદો તેના ઘર પાસે ગયા હતા ત્યારે જ્યોતિકાબેન અને તેના પતિ બટુકભાઈએ ફરિયાદી તથા અન્ય લોકોને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઘરમાંથી છૂટા ઈંટ પથ્થરના ઘા કર્યા હતા જેથી સાહેદ નિરાલીબેન, સાવિત્રીબેન તથા અન્ય બાળકોને ઇજા થઈ હતી અને આરોપીના ઘર પાસેથી ફરિયાદી સહિતના લોકો પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે જ્યોતિકાબેન લાકડી હાથમાં લઈને આવ્યા હતા અને ફરિયાદીને ડાબા પગમાં મારીને ઇજા કરી હતી આમ ફરિયાદી સહિતના લોકોને લાકડી અને પથ્થર વડે માર મારીને ઇજાઓ કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દંપતિ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News