મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં અવની ચોકડી પાસે રહેતા વૃદ્ધાએ બીમારીઓથી કંટાળીને જાત જલાવી લેતા સારવાર દરમ્યાન મોત


SHARE













મોરબીમાં અવની ચોકડી પાસે રહેતા વૃદ્ધાએ બીમારીઓથી કંટાળીને જાત જલાવી લેતા સારવાર દરમ્યાન મોત

મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધાને બીપી અને માનસિક સહિતની બીમારીઓ હતી જે બીમારીઓથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર પોતાની જાત જલાવી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક વૃદ્ધાના દીકરાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ કૃષ્ણાનગર ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા ગોદાવરીબેન મોહનભાઈ પનારા (75)એ ગત તા. 22/2 ના રોજ સવારના 6:00 વાગ્યા પહેલા પોતે પોતાની જાતે પોતાના શરીર ઉપર આગ ચાપી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝ ગયેલા વૃદ્ધાને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ગંભીર રીતે દાજી ગયેલ વૃદ્ધાનું તા. 25/2 ના રોજ ચાલુ દરમિયાન મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક વૃદ્ધાના દીકરા જીતેન્દ્રભાઈ મોહનભાઈ પનારા (46) રહે. શિવપાર્ક સોસાયટી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા બે થી ત્રણ વર્ષથી મૃતક વૃદ્ધાને બીપીની અને માનસિક બીમારી હતી તેમજ અન્ય બીમારીઓના કારણે તેઓને શરીરમાં ધ્રુજારી આવતી હતી આમ બીમારીઓથી કંટાળી જઈને પોતે પોતાની જાત જલાવી લીધી હતી અને વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજયું છે તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News