મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું રોડે અંદાજે 25 થી વધુ દુકાનો-ઓરડીઓને જેસીબીથી મનપાની ટીમે તોડી પડી


SHARE











મોરબીના ઘૂટું રોડે અંદાજે 25 થી વધુ દુકાનો-ઓરડીઓને જેસીબીથી મનપાની ટીમે તોડી પડી

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર રોડ સાઈડમાં આવેલ દુકાનો અને ઓરડીઓ વિગેરેને દૂર કરવા માટે મનપાની ટીમ દ્વારા બુધવારે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંદાજે 25 થી વધુ દુકાનો તેમજ ઓરડીને જેસીબી મારીને તોડી પાડીને રોડ સાઈડમાં જે દબાણો હતા તે તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા છે.

મોરબી મનપાની ટીમ દ્વારા વન વિક વન રોડ અંતર્ગત જુદા જુદા વિસ્તારોની અંદર જે રોડ સાઈટના દબાણ હોય છે તેને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેવામાં ગત બુધવારે મોરબીની ત્રાજપર ચોકડી પાસે દબાણ દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને ત્યાં જે કાચા પાકા દબાણો હતા તથા કેબીનો રાખવામાં આવી હતી તે તમામ પ્રકારના દબાણો દૂર કરીને ત્રાજપર ચોકડી પાસે રોડ સાઈડના દબાણ બધા દૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ આજે મનપાના કમિશનર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ઘૂટું રોડ ઉપર રોડ સાઈડમાં જે પાકા દબાણ હતા તેને તોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

મોરબીમાં બુધવારે અંદાજે 15 જેટલી પાકી દુકાનો તથા 10 જેટલી કાચી પાકી દુકાનો અને ઓરડીઓ આમ કુલ મળીને 25 થી વધુ દબાણ અને જેસીબી ફેરવીને તોડી પાડવામાં આવ્યા હતા અને રોડ સાઈડની જમીનને ખુલી કરવામાં આવી હતી વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે આવી જ કામગીરી આગામી સમયમાં પણ મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર ચાલુ રાખવામાં આવશે અને રોડ સાઈડમાં અથવા તો મનપાની જગ્યા ઉપર કોઈ પણ જગ્યાએ દબાણ હશે તો તેને તોડી પાડવામાં આવશે.






Latest News