મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના અજીતગઢ ગામે ઘરે સીડી ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE











હળવદના અજીતગઢ ગામે ઘરે સીડી ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

હળવદના અજીતગઢ ગામે રહેતો યુવાન પોતાના ઘરે ધાબાની સીડી ઉપરથી નીચે ટકાયો હતો ત્યારે તેને માથાના પાછળના ભાગે ગંભીર જા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના મોટાભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા વાસુદેવભાઈ ગગજીભાઈ ઈટોદરા (35) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ગત તા. 15/2 ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરના ધાબાની સીડી ઉપરથી અકસ્માતે પગ લપસતા તે નીચે ટકાયો હતો અને અકસ્માતના આ બનાવમાં વાસુદેવભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈચ્છા થઈ હોવાથી તેને ઈજા પામેલ હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન ગઈકાલે સાંજના 06:45 વાગ્યાના અરસામાં તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની મૃતક યુવાનના ભાઈ નિલેશભાઈ ગગજીભાઈ ઈટોદરા (40) રહે. અજીતગઢ તાલુકો હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબીમાં રહેતા ભરતભાઈ મગાભાઈ સોલંકી (38) નામના યુવાનને વાંકાનેર સીટી પાસે તેઓના સાળા રાજેશભાઈ સોલંકીએ લોખંડના પાઇપ વડે મારમાર્યો હતો જેથી તેઓને જમણા પગ અને ડાબા હાથમાં ઈજા થઈ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનવાની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News