ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા


SHARE











તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા

વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં લોકોના ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન બાબતે અરજી લઈને પોલીસ દ્વારા ટેકનિકલ માધ્યમથી તપાસ કરવામાં આવી રહી હતી દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ હંસાબેન દેવજીભાઈ પાપોદરા અને જગદીશભાઈ રમેશભાઈ રંગપરા દ્વારા કેર પોર્ટ ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને ટેકનિકલ વર્કઆઉટ કરીને વાંકાનેર શહેર તથા તાલુકા વિસ્તારમાંથી કુલ મળીને 22 જેટલા વ્યક્તિઓના મોબાઇલ ફોન ખોવાયેલા કે ચોરેલા હોવા અંગેની જે અરજીઓ આવી હતી તેમાં મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા છે અને મોરબી જિલ્લાના એસપી મુકેશ પટેલ તથા ડીવાયએસપી સમીર સારડાની હાજરીમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત અરજદારોને તેના કુલ મળીને 3,72,128 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા હતા આ કામગીરી વાંકાનેર સિટી પીઆઇ હકુમતસિંહ જાડેજા તથા તાલુકા પીઆઇ વી.બી.પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. #morbi #police






Latest News